Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 28
________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ સંસારના ભોગોથી પર મુક્ત અવસ્થાની અરુચિ છે, અને સન્માર્ગ પ્રત્યે અભિમુખપણાનો અભાવ છે, તેથી તેનું સિદ્ધિગમનયોગ્યત્વ મુખ્ય નથી. આ રીતે શરમાવર્તની બહારની અવસ્થામાં જીવ મોક્ષને સન્મુખ નથી, તેથી તે અવસ્થામાં કરાયેલી તેની કોઈપણ ક્રિયા મોક્ષરૂપ કાર્યની નિષ્પત્તિનું કારણ બને નહીં. પરંતુ જીવ મોક્ષ જવાને સન્મુખભાવવાળો થાય છે, ત્યારે તેને જિજ્ઞાસા થાય છે કે “હું કઈ રીતે આ ક્રિયા કરું, જેથી મને ઇષ્ટ એવો મોક્ષ મળે ?” આવા અભિમુખભાવવાળો થઈને જીવ ક્રિયા કરે ત્યારે મોક્ષમાં જઈ શકે; પરંતુ શરમાવર્તની પૂર્વના કાળમાં આવી મોક્ષની રુચિ ઊઠતી નથી, તેથી “મોક્ષના ઉપાયોને સેવીને હું મોક્ષને પ્રાપ્ત કરું' એવો અભિમુખભાવ પણ તે જીવને થતો નથી. Itall અવતરણિકા : પૂર્વની ગાથામાં કહ્યું કે પર આવર્તામાં ભવ્ય જીવ પણ સન્માર્ગને અભિમુખ થતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે પર આવર્તામાં પણ જીવ ધર્મ કરે છે, તોપણ મોક્ષમાર્ગરૂપ સન્માર્ગને અભિમુખ કેમ થતો નથી ? તેથી કહે છે – શ્લોક : तदा भवाभिनन्दी स्यात्सझाविष्कम्भणं विना । __ धर्मकृत् कश्चिदेवाङ्गी लोकपङ्क्तिकृतादरः ।।४।। અન્વયાર્થ: તવ=ત્યારે અચરમાવર્તિમાં, મેવામિની ભવાભિનંદી વધેવા કોઈક જ જીવ જ્ઞાવિષ્પાં વિના=સંજ્ઞાવિષ્ઠભણ વગર તોપત્તિતાર = લોકપંક્તિમાં કરાયેલા આદરવાળો ઘર્મ-ધર્મ કરનારો ચા–થાય. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114