________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री વ્યવહાર-|X
43
*
જેવા છે, અને તેમનો શ્રી ગણધર વગેરે શિષ્ય પ્રશિષ્યાદિ વર્ગ એ પ્રધાન મંડળ છે. તથા * સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના સમુદાયરૂપ ચતુર્વિધ સંઘ એ પ્રજા જેવો છે. તેમજ રાજ્યના મુખ્ય કાયદાના જેવી મૂલ ગુણોની આરાધના છે, અને તે દરેક મૂલ ગુણને સૂત્રમ |*| ટકાવનારી ઉત્તર ગુણોની જે આરાધના એ રાજ્યની લઘુ નિયમાવલી જેવી છે, મોક્ષ માર્ગના સાત્ત્વિક આરાધક પૂજ્ય શ્રીતીર્થંકરાદિ મહાપુરુષો ચુતર્વિધ સંઘ વગે૨ે ભવ્યોને મોક્ષ માર્ગની સાત્ત્વિકી આરાધના કરાવવા રૂપ રાજ્ય ચલાવે છે. જેમ રાજા પ્રજાને પુત્રના જેવી ગણીને સામ દામ વગેરે સાધનોના ઉપયોગથી પ્રજાને સત્ય-નીતિ અને દયાના માર્ગે દોરે છે, તે જ પ્રમાણે શ્રીજિનશાસનમાં પણ પરમકૃપાલુ શ્રી તીર્થંકરદેવો અને ગણધરાદિ મહાપુરુષો પણ ચતુર્વિધ સંઘને પુત્રાદિ જેવા ગણીને યોગ અને ક્ષેમ કરવા પૂર્વક મોક્ષના માર્ગે દોરે છે ને અજ્ઞાન-પ્રમાદાદિ કારણોમાંનાં કોઈ પણ કારણથી સંઘમાના કોઈ પણ ભવ્ય જીવ ભૂલ કરે, તો તેને અંગે દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ વગેરેને જાણીને દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તે ભૂલ કરનાર જીવને શુદ્ધ કરી પાછો મોક્ષના માર્ગે જોડે છે. તેને હિતશિક્ષા આપે છે કે “ હે ભવ્ય જીવ ! હવે ભૂલ કરીશ નહીં” તે સાંભળી આસન્નસિદ્ધિક ભવ્ય જીવો તે પ્રમાણે નિઃસ્પૃહી પૂજ્યપુરુષોની હિતશિક્ષા પ્રમાણે ચાલે છે ને ફરીથી ભૂલ કરતા જ નથી. અતિમુક્તકુમારની માફક સન્માર્ગમાં સ્થાનપામનાર
For Private And Personal Use Only
छेदसूत्र परिचय
43