________________
ગયા. એક મિત્ર ઊભો રહ્યો હતો તેણે કહ્યું કે હવે અહીંથી જલદી ભાગી જા. ત્યારે યુવાને કહ્યું કે – “મેં મારા વચનથી માંગીને આ વ્રત સ્વીકાર્યું છે તો હવે તેને છોડીને કઇ રીતે જવાય ?” સ0 પલવારમાં આટલું પરિવર્તન આવી ગયું ?
તમને પણ જો શેઠ પગાર વધારો કરી આપે તો પલવારમાં શેઠ પ્રત્યે બહુમાન જાગે ને ? પૈસા દેખાય તો પલવારમાં પરિવર્તન આવે છે. તેમ અહીં પણ જણાવ્યું છે કે આ યુવાન આસન્નસિદ્ધિક (મોક્ષ જેને નજીકમાં છે તેવો) અને લઘુકર્મી છે. તેને પણ મોક્ષ નજર સામે દેખાવા માંડ્યો તેથી વ્રતપાલન માટે ઉત્સુક બને છે.
જેઓ ગુરુના વચનમાં રહેતા નથી એવા આપણા જેવા અવિનીત શિષ્યો પ્રસિદ્ધ હોવાથી એમાં દૃષ્ટાંત નથી આપ્યું. જયારે કોપાયમાન થયેલા ગુરુને શાંત કરનારા શિષ્ય મળવા બહુ મુશ્કેલ છે તેથી તેમાં દષ્ટાંત આપ્યું છે. એ દૃષ્ટાંતમાં આપણે જોઇ ગયા કે નવપરિણીત યુવાન મિત્રવર્ગ સાથે સાધુભગવંતની મશ્કરી કરવા આવ્યો હતો. મશ્કરી કોની કરાય અને કોની ન કરાય, શેની કરાય શેની ન કરાય – એવો પણ વિવેક ન હોય એવા યુવાનો સાધુની મશ્કરી કરે એવો એ કાળ હતો. યુવાપેઢી ધર્મથી વિમુખ તો એ વખતે પણ હતી. જેને ધર્મ જો ઇતો જ ન હોય તેની ચિંતા કરવાની જરૂર નથી. આ તો કહે કે સાધુઓમાં મતભેદ પડ્યો છે એટલે યુવાનો ધર્મથી વિમુખ બન્યા છે. આપણે કહેવું છે કે યુવાનોને ધર્મ જોઇતો નથી માટે તેઓ સાધુથી ઊભગી ગયા છે. સાધુઓમાં જે મતભેદ છે તે તો તેમના મનભેદના કારણે છે. બાકી શાસ્ત્ર તો એકસરખાં છે. તમારે ત્યાં કે અમારે ત્યાં જે ઝઘડા થાય છે તે પોતાની ઇચ્છા મુજબ ન થવાના કારણે થાય છે. ઇચ્છા મુજબ ન થાય એટલે ગુસ્સો આવે, ગુસ્સો આવે એટલે ઝઘડો થાય. એના બદલે સહન કરી લઇએ તો કામ થાય ને ? સહન કરવામાં ધર્મ છે, પ્રતિકાર કરવામાં ધર્મ નથી. સવ મનભેદ તો વ્યક્તિગત અણગમાના કારણે થાય જયારે મતભેદ
શાસ્ત્રની વાતમાં હોય ને ?
શાસ્ત્રની વાત તો એકસરખી છે છતાં તે માનવામાં જે ભેદ પડે છે તે મનભેદના કારણે પડે છે. મરીચિના ભવમાં ઉત્સુત્રપ્રરૂપણા કરી એના પહેલાં મન બગડ્યું હતું ને ? શિષ્યની લાલચ લાગી તેથી તો ભગવાનના મતથી જુદો ચોકો જમાવ્યો. જેને ભગવાનની વાત માનવી હોય તેણે તો નવો મત સ્થાપવાની જરૂર જ નથી. ગુરુની ઇચ્છા એ જ મારી ઇચ્છા હોય તો કોઇ મતભેદ પડે જ નહિ. ઇચ્છાઓ પર કાબૂ મૂક્યા વિના ચાલે એમ નથી. એક વાર ઇચ્છાઓ બાજુ પર મૂકી દઇએ તો કોઇ મતભેદ પડે જ નહિ. દિગંબર મત પણ શરૂ થયો તે ગુરુ પ્રત્યે દેષના કારણે, આગળ વધીને રત્નકંબળ પ્રત્યેના રાગના કારણે જ શરૂ થયો છે. ગુરુએ, રાજાએ આપેલ રત્નકંબલ ફાડી નાંખી, ત્યારે ‘ગુરુએ જે કર્યું તે મારા હિત માટે” આવું જ વિચાર્યું હોત તો ગુસ્સો ન આવત. આપણા કરતાં ગુરુભગવંત દીર્ઘદર્શી છે – એટલું જણાય તો ગુરુ પ્રત્યે બહુમાન જાગ્યા વિના ન રહે. આપણે તો માત્ર આ ભવનો જ વિચાર કરીએ જ્યારે ગુરુ તો પરભવનો પણ વિચાર કરે છે. અત્યારે આપણા પાંચે આંગળા ભલે ઘીમાં હોય પણ એ આંગળા જો ઘીમાંથી બહાર નહિ કાઢીએ તો ભવાંતરમાં આંગળા જ નહિ, પંચેન્દ્રિયપણું પણ નહિ મળે. માટે આપણને ગુરુ સુખથી આઘા રાખે છે – આટલું સમજાય તો માન જાગે ને ? પાંચ ઇન્દ્રિયોનો છૂટથી ઉપયોગ કરીશું તો એકેન્દ્રિયમાં જવું પડશે અને પાંચ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીશું તો પંચેન્દ્રિયપણું ટકી રહેશે, આગળ વધીને ઇન્દ્રિય-શરીરથી રહિત બનાશે. અત્યારે જેટલું ભોગવવું હોય એટલું ભોગવી લો પણ પછી બધું જ વ્યાજ સાથે પૂરું કરવું પડશે. આમ જીવવિચાર ભણેલા હોય, બીજાને ભણાવે ય ખરા અને પાછા મજેથી વનસ્પતિ પર છરી ચલાવે. વનસ્પતિમાં અનંતા જીવો માને, પ્રત્યેક જીવો માને તેને વનસ્પતિનો ત્યાગ કરવાનો આવે ત્યારે દુ:ખ થાય કે આનંદ થાય ? આ તો કા.સુ. ૧૩ના દિવસથી જ ભાજીપાલો ભેગો કરવા માંડે. શું વનસ્પતિમાં જવું છે ? આપણે પાંચ તિથિ કે બાર તિથિ નહિ, કાયમ
૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૯૫