Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 124
________________ સ0 રાત્રે ઊંઘમાં મચ્છર મરી જાય તો ? રાત્રે આવી વિરાધના કરવાનો પ્રસંગ ન આવે તે માટે તો ચોમાસાના દિવસોમાં રાત્રે જાગવાનું વિધાન કર્યું છે. મચ્છર મરે નહિ તે માટે મચ્છરદાની બાંધવાની છૂટ ન અપાય. આપણે મચ્છરદાની બાંધીએ છીએ તે વિરાધનાથી બચવા માટે કરીએ છીએ – એવું જૂઠું ન બોલવું. વિરાધના તો જાગીને પણ ટાળી શકાય છે. સર્પનો ઉપદ્રવ જે મકાનમાં હોય ત્યાં કારણસર રહેવું પડે તો જાગતા રહો ને ? આપણે જાગવાની તૈયારી નથી અને મચ્છર કરડે એ પાલવે એવું નથી માટે મચ્છરદાની બાંધીએ છીએ – આટલું સાચું બોલતા થઇ જાઓ. અહીં જણાવે છે કે મચ્છરથી ત્રાસ પણ ન પામવો અને તેનું વારણ પણ ન કરવું, મચ્છર ઉડાડવા નહિ. આ શરીર જેમ આપણું ભોગ્ય છે. તેમ એ જીવોનું પણ ભોગ્ય છે – એમ સમજીને એનું વારણ નથી કરવું. ‘ઘણી મચ્છર છે, શ્રાવકો ધ્યાન નથી રાખતા, ધૂપ કરતા નથી...' વગેરે બોલવું તે ત્રાસ પામ્યાનું સૂચક છે. આપણે તેને ઉડાડવા તો નથી તેમ જ મનમાં પણ તેમની પ્રત્યે દ્વેષ નથી રાખવો. તેઓ જ્યારે લોહી-માંસનું ભક્ષણ કરે ત્યારે તેમની ઉપેક્ષા કરવી. સ0 રાત્રે મચ્છર કરડે તો તેમને રાત્રિભોજન કરાવ્યાનું પાપ લાગે ? કરાવવાનું પાપ ત્યારે લાગે કે જ્યારે આપણે એને પ્રેરણા કરીએ. આપણે મચ્છરને બોલાવતા નથી, એ એની મેળે જ આવે છે. આપણે માત્ર એને રોકતા નથી, એમાં આપણી અનુમતિ પણ નથી. આથી જ અહીં ઉપેક્ષા કરવાની વાત કરી છે. તમે મચ્છરના પાપની ચિંતા છોડીને તમારા પાપની ચિંતા કરો. મચ્છરને પાપથી બચાવવા માટે ઉડાડતા નથી, આપણને કરડે છે માટે ઉડાડીએ છીએ – આટલું સરળતાથી કબૂલ કરતાં થાઓ. કરેલાં કમ સ્વસ્થતાથી ભોગવી લઇએ તો એ કર્મોનો અંત આવ્યા વિના ન રહે. પરંતુ આપણે કમોંને ભોગવવાને બદલે એને એ રીતે ધક્કો મારીએ છીએ કે જેથી કમની પરંપરા ઊભી થાય. સુખના કારણે બાંધેલા કર્મો દુ:ખ દ્વારા જ નિકાલને પામી શકે - એ વાત તો સ્પષ્ટ છે. આ ૨૪૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કર્મની પરંપરાને અટકાવવી હોય તો દુ:ખની વણઝારને સ્વીકારી લેવા સિવાય છૂટકો નથી. આ સંસારમાં બાવીસ પ્રકારના પરીષહોને ભોગવવા માટે તૈયાર થઇ જઇએ તો સંસારનો અંત આવ્યા વિના ન રહે. આપણે દુ:ખ ભલે શક્તિ પ્રમાણે ભોગવીએ પરંતુ દુઃખ ભોગવવાનો અધ્યવસાય પૂરેપૂરો જોઇએ. મહાપુરુષો કર્મના યોગે સુખ ભોગવવાની પ્રવૃત્તિ કરતા હોય તો પણ તેમનો દુ:ખ ભોગવવાનો અધ્યવસાય નાશ નથી પામતો, આપણી જેમ ! આપણે દુ:ખ ભોગવીએ છતાં સુખ ભોગવવાનો અધ્યવસાય નાશ નથી પામતો ને ? જેને દુઃખ ભોગવવાનો અધ્યવસાય હોય તેને તો દુ:ખ ભોગવવાનો અવસર આવે ત્યારે આનંદનો અનુભવ થાય. કારણ કે આ કર્મનિર્જરાનો અવસર આવ્યો છે એવું એમને લાગે. ગૃહસ્થપણામાં કર્મનિર્જરાનો અવસર છે કે કર્મબંધનો ? સુખ આવે તે કર્મબંધનો અવસર લાગે અને દુઃખ આવે તે કર્મનિર્જરાનો અવસર લાગે - એનું અહીં કામ છે. દેશમશકપરીષહ ઉપર અહીં કથાનક જણાવ્યું છે. ચંપાનગરીમાં જિતશત્રુ નામના રાજાને શ્રમણભદ્ર નામનો પુત્ર હતો. આ રાજપુત્રનું જેવું નામ હતું તેવો જ તે હતો. એટલે કે તે શ્રમણપણામાં - સાધુપણામાં જ ભદ્રતા-કલ્યાણકારિતાને માનનારો હતો. આ રાજપુત્ર સાત્ત્વિકશિરોમણિ હતો. અહીં બીજા કોઇ ગુણ ન જણાવતાં સત્ત્વગુણની પ્રશંસા કરી છે. તેનું કારણ એ છે કે દીક્ષા લેવાની આ પરમ યોગ્યતા છે. વૈરાગ્ય કરતાં પણ સત્ત્વ એ ચઢિયાતો ગુણ છે. કારણ કે જો સત્ત્વ નહિ હોય તો વૈરાગ્ય પણ પાછો રાગના સ્થાને ગોઠવાઇ જતાં વાર નહિ લાગે. જેની પાસે દુ:ખ વેઠવાનું સામર્થ્ય ન હોય તે સાધુપણામાં ટકી નહિ શકે, એનો વૈરાગ્ય ધોવાયા વિના નહિ રહે. આ શ્રમણભદ્ર રાજપુત્રે એક વાર ધર્મઘોષસૂરિની દેશના સાંભળી અને એક જ દેશનામાં પ્રતિબોધ પામીને કામભોગથી વિરક્ત થઈને તેમણે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાર બાદ શ્રુતનો અભ્યાસ કરીને શ્રુતના પારગામી બની ગયા. તમને એમ લાગે કે એક જ દેશનામાં કઇ રીતે પ્રતિબોધ પામ્યા ? પરંતુ એવું આશ્ચર્ય ધરવાની જરૂર નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૪૧

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222