________________
કરવાની જરૂર નથી. અહીં આવ્યા પછી કષાયને આધીન થાય તેને જ બીજાની સહાય લેવાનું બને. જો લોભ કે ક્રોધ કષાયને આધીન ન થઇએ તો એકાકીપણે વિચરવામાં કોઇ બાધ ન આવે. સાધુભગવંત આ રીતે એકલા હોવાથી કોઇનું પણ ઉલ્લંઘન કરીને પણ આગળ ન જાય. કારણ કે તેમને આહારનો લોભ નથી હોતો તેમ જ સમય બચાવવાનો પણ લોભ નથી હોતો. માત્ર ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે કોઇ પણ જાતના રાગદ્વેષથી રહિતપણે કોઇની પણ નજર ન પડે એ રીતે યોગ્ય સ્થાને ઊભા રહે. સાધુસાધ્વી જો આહાર માટે પણ આ રીતે ઉલ્લંઘન ન કરતા હોય તો શ્રાવકોએ પૂજાની લાઇનમાં કેવી રીતે શાંતિથી ઊભા રહેવું જોઇએ - એ જણાવવાની જરૂર ન પડે ને ?
नाइउच्चे न नीए वा नासण्णे नाइदूरओ । फासुयं परकडं पिंडं पडिगाहेज्ज संजए ॥१-३४॥
મહાપુરુષોએ આપણા સુખની ચિંતા નથી કરી, આપણા હિતની ચિંતા કરી છે. આપણે સુખ ભોગવીએ અને એ ચલાવી લે એવા મહાપુરુષો ભગવાનના શાસનમાં ન હોય. આપણી બધી અનુકૂળતા સાચવે અને પ્રતિકૂળતા દૂર કરી આપે એવા મહાપુરુષો ન હોય. પ્રતિકૂળતા વેઠવા તૈયાર કરે એવા મહાપુરુષો હોય. સ0 ભગવાનનું શાસન પ્રતિકૂળતામાં જ છે ?
હેતુ:વું મહાતમ્ ! આવું દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યું છે. આપણા ભગવાને દુ:ખ ભોગવ્યું ને ? ચક્રવર્તીના આત્માઓને પણ પુણ્ય છોડાવીને દુ:ખ વેઠતા કર્યા ને ? સવ પણ ધર્મ કરે એને પુણ્ય તો બંધાય ને ?
શ્રી તીર્થંકરપરમાત્માને, દેશોનપૂર્વકોટી વરસ સુધી આરાધના કરનારાને પુણ્ય ન બંધાયું અને મોક્ષે ગયા તો આપણને શા માટે બંધાય? જે મોક્ષે જવા માટે ધર્મ કરે છે એને ભવાંતરમાં ભોગવવું પડે એવું પુણ્ય ન બંધાય. જેને પુણ્ય જોઇતું હોય એને મોક્ષ ન મળે. પુણ્ય બંધાઇ જાય ૧૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
એની ચિંતા નથી હોતી, એ તો કોરા કપડા પર લાગેલી ધૂળની જેમ સહેલાઇથી ખંખેરાઇ જાય. બાંધવું અને બંધાઇ જવું : બંન્નેમાં ફરક છે. ધૂળ અડી જાય અને ધૂળમાં આળોટે : બેમાં ફરક છે ને ? તેમ અહીં સમજવું. સ0 કપડાં મેલા થાય એવું પુણ્ય શ્રી શાલિભદ્રજીએ બાંધ્યું ?
એટલે તો એ ભવમાં મોક્ષે ન ગયા. તીર્થંકરભગવંતો પણ તીર્થંકરનામકર્મના કારણે એ ભવમાં મોક્ષે ન ગયા. સંસારમાં રહેવાની સહેજ પણ ઇચ્છા ન હોવા છતાં ત્રણ ભવ તો કરવા જ પડ્યા. જે સહેજ ઇચ્છા હતી એ સંસારના સુખ ભોગવવાની ઇચ્છા નહોતી, સવિ જીવને શાસનના રસિયા બનાવવાની ઇચ્છા હતી. સાંસારિક ઇચ્છાઓની અપેક્ષાએ આ ઇચ્છા પ્રશસ્ત હોવા છતાં તેનાથી એમના ત્રણ ભવ થયો. તીર્થંકરના આત્માઓનું તથાભવ્યત્વ જ તેવા પ્રકારનું હોય છે અને તે રીતે જ તેઓ જગતના ઉપકારી બને છે – એ જુદી વાત. બાકી આપણા માટે તો ઇચ્છમાત્ર અપ્રશસ્ત છે : એમ સમજવું. પુણ્ય બાંધવાજેવું લાગે છે – એનો વાંધો છે, બંધાઇ જાય એની ચિંતા નથી. તમારે શું કરવું છે ? સંસારમાં પડ્યા રહેવું છે કે બહાર નીકળવું છે ? સંસારમાં રહેવું હોય એને પુણ્યની જરૂર પડે, બહાર નીકળવું હોય એને જરૂર ન પડે. આ ગ્રંથમાં મોટા ભાગે પાપ કઇ રીતે ભોગવવું એ આવે છે, પુણ્યનો તો ક્યાંય ઉલ્લેખ નથી. પુણ્ય એ તો ફળ છે જ નહિ, ફળ તેને જ કહેવાય કે જેની પછી કશું મેળવવાનું બાકી ન રહે. પુણ્ય મળ્યા પછી પણ મોક્ષ મેળવવાનો બાકી રહે છે ને ? મોક્ષ મેળવ્યા પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી માટે ધર્મનું ફળ મોક્ષ જ છે, પુણ્ય નહિ. સાધુભગવંતો મોક્ષે જવા માટે સાધુપણું લે છે તેથી જ આ ગ્રંથમાં મોક્ષના ઉપાય તરીકે સાધુના આચારોનું વર્ણન કર્યું છે. સાધુભગવંતો ગુણસ્થાનકપ્રયિક જ પુણ્યબંધ કરે, ભવાંતરમાં ભોગવવું પડે એવો પુણ્યબંધ ન કરે, અધ્યવસાય મલિન બને ત્યારે એવું પુણ્ય બંધાય. આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે સુખ અનુત્તરવિમાનમાં છે. મોક્ષમાં જવા માટે તેમને એક છઠ જેટલો તપ અને સાત લવ જેટલું આયુષ્ય ઓછું પડ્યું માટે મોક્ષમાં ન ગયા. સાધના અધૂરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮૯