Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 105
________________ એ ચાલે ? આજે નિયમ આપી દઉં કે છોકરાઓની હાજરીમાં મા-બાપ કે ભાઇ-બહેન વગેરેને કશું કહેવું નહિ. આટલું તો બને ને ? આપણા વડીલ બેઠા હોય ત્યાં સુધી આપણે વડીલ થવાની જરૂર નથી. અમારે ત્યાં પણ આ જ તકલીફ છે. ગુરુ વિદ્યમાન હોવા છતાં પોતે ગુરુ થવાને ઇચ્છે તે સાધુપણું ન પાળી શકે. સ૦ પદવી લેવા માટે શિષ્ય જોઇએ ને ? પદવી એ લેવાની ચીજ જ નથી. ગુરુભગવંત આપે તો જ લેવાની છે. શિષ્ય પણ ગુરુને કરવો હશે તો કરશે અને પદવી પણ ગુરુને આપવી હશે તો આપશે. જે આપણી પાસે દીક્ષા લેવાનો આગ્રહ રાખે તે મરીચિને મળેલા કપિલજેવો છે – એમ સમજવું. એવાને દીક્ષા આપવાથી આપણી દશા મરીચિજેવી થશે. ગુરુને આપણું મોઢું જોઇને શિષ્ય કરી આપવો પડે – એવું નથી કરવું, આપણી યોગ્યતા જોઇને તેમને શિષ્ય કરી આપવો પડે – એવું જીવન જીવવું છે. આપણે યોગ્યતા કેળવી લેવી છે. પદવી તો પુણ્યથી મળે છે. આપણે સાધુ થયા તે આચાર્ય થવા માટે થયા છીએ કે સિદ્ધ થવા માટે થયા છીએ ? આચાર્યભગવંતો તો પદવી આપતી વખતે યોગ્યતા, પર્યાય, પુણ્ય, જ્ઞાન બધું જ જોઇને આપે. પદવી આપવી એ આચાર્યભગવંતનો વિષય છે, આપણો નથી. આપણે તો કર્મની નિર્જરા કરવા આવ્યા છીએ, કરીને જતા રહેવું છે. પુણ્યના યોગે મળે તેની ચિંતા નથી કરવી, કર્મક્ષયથી જે મળે એવું છે તેના માટે પુરુષાર્થ કરવો છે. પદવી પુણ્ય વિના ન મળે, જ્યારે સિદ્ધપદ પુરુષાર્થ વિના ન મળે. પદવી મળવી એ આપણા હાથની વાત નથી, સિદ્ધ થવું - એ આપણા હાથની વાત છે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે - આ દુનિયામાં બે જ વસ્તુ માંગી મળે એવી છે : સાધુપણું અને મોક્ષ. તેથી નક્કી છે કે ગુરુને ગુસ્સે ન કરવા અને કદાચ આપણા સંસ્કારના કારણે આપણી ભૂલ થાય અને ગુરુ ગુસ્સે થાય તો તેવા વખતે આપણે જાતે ગુસ્સે ન થવું અને ગુરુને જેમતેમ ન બોલવું. ગુરુ ગુસ્સે થાય તો આપણને ગુસ્સો આવે ને ? એવું કોઇ સંયોગોમાં બનવું ન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦૨ જોઇએ. તેથી પોતાની જાતને પણ ગુસ્સે ન ક૨વી - એમ જણાવ્યું. આગળ જણાવે છે કે બુદ્ધ એટલે આચાર્યભગવંતનો ઉપઘાત ન કરે. અહીં શિષ્ય શંકા કરે છે કે – આટલી હદ સુધી શિષ્ય પહોંચે ? તેથી તેના નિરાકરણમાં એક દૃષ્ટાંત જણાવે છે. એક નગરમાં ઘણા શિષ્યના ગુરુ કે જેમનાં પાપ ક્ષીણપ્રાયઃ થયાં છે, તેવા આચાર્ય રહેલા હતા. અહીં આચાર્યને પુણ્યના નિધાન તરીકે ન વખાણતાં, પાપરહિત તરીકે વર્ણવ્યા છે : આના ઉપરથી પણ સમજાય એવું છે કે - શાસ્ત્રકારો આચાર્યભગવંતની કેવી વિશેષતા ગણાવે છે ? આ આચાર્યભગવંત ગુણરૂપ ગણને ધરનારા ગણી હતા. જેની પાસે શિષ્યસંપત્તિ હોય તેને ગણી નથી કહ્યા. જે ગુણના ગણને ધરનારા છે તેને ગણી કહેવાય : આવી વ્યાખ્યા ધર્મબિંદુ, પંચવસ્તુ વગેરે ગ્રંથમાં જણાવી છે. આ આચાર્યનું જંઘાબળ ક્ષીણ થવાથી તેઓ એક જ નગરમાં સ્થિરવાસ રહ્યા હતા. તેમની સેવા કરવાથી અને એક જ સ્થાને રહેવાથી કંટાળી ગયેલા શિષ્યોએ આચાર્યભગવંતને અણસણ કરવાની ફરજ પડે એવું ત્રાગડું રચ્યું. તે નગરના શ્રાવકો આચાર્યભગવંતના કારણે પોતે સનાથ છે એવું માનતા હતા. આથી જ આચાર્યભગવંતને ભક્તિબહુમાનપૂર્વક પૌષ્ટિક આહાર આદિ વહોરાવતા હતા. આ શિષ્યોએ અંતપ્રાંત ભિક્ષા લાવવાનું શરૂ કર્યું અને આચાર્યભગવંતને એમ કહ્યું કે આપણા સ્થિરવાસના કારણે ઊભગી ગયેલા શ્રાવકો હવે આવો જ આહાર વહોરાવે છે’ અને આ બાજુ શ્રાવકોને કહ્યું કે ‘અમારા ગુરુ હવે અપવાદવાળું જીવન જીવવા રાજી નથી તેથી તેમણે અણસણ કરવાનું નક્કી કર્યું છે.’ આ રીતે બંન્ને બાજુ સુરક્ષિત કરી દીધી. પરંતુ શ્રાવકોને તો આવું સાંભળી ઘણો આઘાત લાગ્યો. તેઓ આચાર્યભગવંત પાસે આવ્યા અને તેમને વિનંતિ કરતા કહ્યું કે તીર્થંકરરૂપી સૂર્ય આ જગતમાં અસ્ત થયે છતે ઘ૨માં દીપકની જેમ પ્રકાશને કરનારા આપ છો. આપના કારણે જ અમે સનાથ છીએ. આપના શરીરની આપને જરૂર નથી પણ અમારે જરૂર છે. માટે અનશન ન કરશો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦૩

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222