________________
૪૪૯
ઉપદેશમાળા સેસુકોસમજિઝમજહનઓ વા ભવે ચઉદ્ધાઓ ઉત્તરગુણે અણેવિહે, દંસણુનાસુ અરૂણ ૩૯૭ છે
અર્થ_“બાકીના એટલે બીજા મહાવ્રતથી આરંભીને પાંચ મૂલસ્થાને ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ભેદ કરીને ત્રણ ત્રણ પ્રકારે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવભેદે કરીને ચાર ચાર પ્રકારે છે, તથા ગોચરી સમિતિ, ભાવનાદિક ઉત્તર ગુણ અનેક પ્રકારને છે. (ઉત્તર ગુણને વિષે અનેક પ્રકારને આચાર છે.) દર્શન (સમકિત) માં નિઃશંકિત વિગેરે અને જ્ઞાનમાં કાળ વિનય વિગેરે આઠ આઠ આચાર છે.” ૩૯૭.
જે જયઈ અગીયલ્યો જ ચ અગીયલ્યુનિસ્ટિઓ જયઇ. વાઇ ગચ્છ, અણુતસંસારિઓ હોઈ છે ૩૯૮
અર્થ–“અગીતાર્થ (સિદ્ધાન્તને ન જાણનાર) જે યતના (તપ ક્રિયાદિકમાં ઉદ્યમ) કરે છે, અને જે અગીતાર્થ નિશ્ચિત એટલે અગીતાર્થની નિશ્રામાં રહીને ક્રિયાનુષ્ઠાન કરે છે; તથા પોતે અગીતાર્થ છતાં જે ગચ્છને પ્રવર્તાવે છે–એટલે ક્રિયાનુષ્ઠાનમાં પ્રેરણા કરે છે, તો તે અગીતાર્થ અનંતસંસારી થાય છે. અર્થાત્ ગીતાર્થ મુનિનું અથવા તેની નિશ્રામાં રહીને કરેલું ક્રિયાનુષ્ઠાન જ મોક્ષફળને આપનારું થાય છે.” ૩૯૮.
અહીં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે– કહઉ જયંત સાહુ, વટ્ટાય જેઉ ગચ્છે તુ સંજમજુત્તો હોઉં, અણુતસંસારિઓ હાઈ ૩૯૯
અર્થ_“હે પૂજ્ય! જે સાધુ તપ સંથમને વિષે પિતે યતના (ઉદ્યમ) કરે છે, વળી જે તપ સંયમને વિષે ગચ્છને પ્રવર્તાવે છે ગાથા ૩૯૭ સેસુક્કોસે ઉત્તરગુણણેગવિહે ! ગાથા ૩૯૮-જ જઈ વદાયઈ વટ્ટાઈ=વર્તયતિ ગાથા ૩૯૯-કહયા વટ્ટાઇ સંસારિઓ મણિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org