Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પાઠ ૨ સાત તત્ત્વો સંબંધી ભૂલો આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી (વ્યક્તિત્વ અને કર્તૃત્વ ) આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીના પિતાજી શ્રી જોગીદાસજી ખંડેલવાલ દિ. જૈન ગોદિકા ગોત્રીય હતા. તેમના માતુશ્રીનું નામ રંભાબાઈ હતું. તેઓ પરણેલા હતા. તેમને બે પુત્રો હતા. હરિશ્ચંદ્ર અને ગુમાનીરામ. ગુમાનીરામ મહાન પ્રતિભાશાળી અને પિતાના જેવા જ ક્રાન્તિકારી હતા.જો કે પંડિતજીનું મોટા ભાગનું જીવન જયપુરમાં જ વીત્યું તેમ છતા તેમને પોતાની આજીવિકા માટે થોડો સમય સિંઘાણા અવશ્ય રહેવું પડયું હતું. ત્યાં તેઓ દિલ્હીના એક શાહુકારને ત્યાં કામ કરતા હતા. જો કે પરંપરાગત માન્યતાનુસાર તેમનું આયુષ્ય ૨૭ વર્ષનું મનાય છે; પરંતુ તેમની સાહિત્યસાધના, જ્ઞાન અને તાજા પ્રાપ્ત થયેલા ઉલ્લેખો અને પ્રમાણોના આધારે એ નિશ્ચિત થઈ ચુકયું છે કે તેઓ ૪૭ વર્ષ સુધી જીવિત હતા. તેમની મૃત્યુતિથિ વિ. સં. ૧૮૨૩-૨૪ લગભગ નિશ્ચિત છે, તેથી તેમનો જન્મ વિ. સં. ૧૭૭૬–૭૭ માં હોવો જોઇએ. તેમનું સામાન્ય શિક્ષણ જયપુરની એક આધ્યાત્મિક (તેરાપંથ ) ગોષ્ઠીમાં થયું. પરંતુ અગાધ વિદ્વત્તા તો માત્ર પોતાનાં ભારે શ્રમ અને પ્રતિભાનાં બળ વડે જ તેમણે પ્રાપ્ત કરી; અને તે વહેંચી પણ ખૂબ ઉદાર દિલ. તેઓ પ્રતિભાસંપન્ન, પ્રજ્ઞાવાન અને અધ્યયનશીલ હતાં. પ્રાકૃત, સંસ્કૃત અને હિંદી ઉપરાંત તેમને કન્નડ ભાષાનું પણ ૧૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83