Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 78
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પાઠ ૯ ભાવના બત્રીસી આચાર્ય અમિતગતિ (વ્યક્તિત્વ અને કર્તૃત્વ ) વિક્રમની અગિયારમી સદીના પ્રસિદ્ધ આચાર્ય અમિતગતિને વા૫તિરાજ મુંજની રાજસભામાં સન્માનની દૃષ્ટિથી જોવામાં આવતા હતા. રાજા મુંજ ઉજ્જૈનીના રાજા હતા, તેઓ પોતે મહાન વિદ્વાન અને કવિ હતા. આચાર્ય અમિતગતિ બહુશ્રુત વિદ્વાન અને વિવિધ વિષયોના ગંથ-નિર્માતા હતા. તેમણે રચેલા બધા જ ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. તેમણે પોતાનો પ્રસિદ્ધ ગ્રંથ “સુભાષિત રત્નસંદોહ ” વિ. સં. ૧૦૫૦ માં તથા “ધર્મપરીક્ષા ” વિ. સં. ૧૦૭૦ માં પૂરા કર્યા હતા. તેમના ગ્રંથોની વિષયવસ્તુ અને ભાષા-શૈલી સરળ, સુબોધ અને રોચક છે. એમની નીચેની રચનાઓ ઉપલબ્ધ છે- સુભાષિત રત્ન-સંદોહ, ધર્મપરીક્ષા, ભાવના-દ્વાત્રિંશતિકા, પંચસંગ્રહ, ઉપાસકાચાર, આરાધના, સામાયિક પાઠ પણ એમની રચનાઓ છે. 4 “સુભાષિત રત્નસંદોહ” એક સુભાષિત ગ્રંથ છે. એમાં ૩૨ પ્રકરણ અને ૯૨૨ છંદ છે. સુભાષિત નીતિ સાહિત્યમાં એનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સુભાષિત પ્રેમીઓએ એનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ. “ધર્મ પરીક્ષા” સંસ્કૃત સાહિત્યમાં પોતાની પદ્ધતિનો એક નિરાળો ગ્રંથ છે. એમાં પુરાણોની અટપટી અસંગત કથાઓ અને માન્યતાઓને મનોરંજક રૂપે રજૂ કરીને અવિશ્વસનીય સિદ્ધ કરી છે. આ ૧૯૪૫ છંદોનો ગ્રંથ છે. તત્ત્વ-પ્રેમીઓએ તેનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ. આ પાઠ તેમની ભાવના-દ્વાત્રિંશતિકાનો હિંદીમાં પદ્યાનુવાદ છે અને તે પં. યુગલિકશોરજી ‘યુગલ' કોટાવાળાએ કરેલો છે. ૧. જૈન સાહિત્ય અને ઈતિહાસ : નાથૂરામ પ્રેમી પૃષ્ઠ ૨૭૫. ૭૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83