Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 62
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અભાવ પર્યાયસૂચક છે. આ ચારેયને સંક્ષેપમાં એમ પણ કહી શકાય કે જેનો અભાવ થતાં નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય છે તેને પ્રાગભાવ કહે છે. જેનો સભાવ થતાં નિયમથી વિવક્ષિત કાર્યનો અભાવ (નાશ) થાય છે તેને પ્રધ્વસાભાવ કહે છે. અન્ય (પુગલ) ના સ્વભાવ (વર્તમાન પર્યાય ) માં સ્વ (જુગલ) સ્વભાવ (વર્તમાન પર્યાય) ની વ્યાવૃત્તિ અન્યોન્યાભાવ છે. તથા કાલત્રયની અપેક્ષાએ જે અભાવ હોય તે અત્યંતાભાવ છે. જિજ્ઞાસુ- કદાચિત્ આ ચારેય અભાવોને ન માનવામાં આવે તો શું દોષ આવે? આચાર્ય સમન્તભદ્ર- ૧. પ્રાગભાવ ન માનવાથી સમસ્ત કાર્ય (પર્યાયો) અનાદિ સિદ્ધ થાય. ૨. પ્રધ્વસાભાવ ન માનવાથી સર્વ કાર્ય (પર્યાયો) અનંતકાળ સુધી ૩. અન્યોન્યાભાવ ન માનવાથી બધાં પુદ્ગલોની પર્યાયો મળીને એક થઈ જાય અર્થાત્ બધાં પુગલ સર્વાત્મક બની જાય. ૪. અત્યન્તાભાવ ન માનવાથી બધાં દ્રવ્યો અસ્વરૂપ થઈ જાય અર્થાત્ બધાં પોત-પોતાના સ્વરૂપને છોડી દે, પ્રત્યેક દ્રવ્યની વિભિન્નતા રહે નહીં, જગતનાં બધાં દ્રવ્યો એક થઈ જાય. આશા છે કે ચાર અભાવોનું સ્વરૂપ તમારી સમજનાં બરાબર આવી ગયું હશે. “यदभाव हि नियमतः कार्यस्योत्पत्तिः स प्रागभावः, यद्भावे च कार्यस्य नियता बिपत्तिः स प्रध्वंसः, स्वभावान्तरात्स्वभावव्यावृत्तिरन्यापोहः कालत्रयापेक्षाऽभावोऽत्यन्ताभावः।” -અષ્ટસહસ્ત્રી : વિધાનન્દિ, પૃષ્ઠ ૧૦૯. ૬O Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83