________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
યુધિષ્ઠિર પંડિત બનીને, ભીમ રસોયો બનીને, અર્જુન નર્તકી બનીને અને નકુલ તથા સહદેવ અસ્વશાળાના અધિકારી બનીને રહ્યા. દ્રૌપદી પણ માળણ બનીને રહેવા લાગી.
રાજા વિરાટની રાણીનું નામ સુદર્શના હતું અને તેનો ભાઈ કીચક હતો. એણે જ્યારે દ્રૌપદીને જોઈ તો તે તેના પર મોહિત થઈ ગયો. તેણે તો મહાસતી દ્રૌપદીને સાધારણ માળણ માની હતી, તેથી દ્રૌપદીને અનેક પ્રકારનો લોભ દેખાડીને તે પોતાનો ખરાબ ભાવ પ્રગટ કરવા લાગ્યો. દ્રૌપદીએ આ વાત પોતાના જેઠ ભીમને કહી. ભીમે તેને કહ્યું કે તમે એની સાથે બનાવટી સ્નેહભરી વાતો કરીને મળવાનું સ્થાન અને સમય નિશ્ચિત કરી લેજો. પછી બધું હું સંભાળી લઈશ. પાપી કીચકને પોતાના દુષ્ટ
ભાવોની સજા મળવી જ જોઈએ. રમેશઃ- પછી શું બન્યું? અધ્યાપકઃ- પછી કહેવું શું? દ્રોપદીએ માયાવી સ્નેહ દ્વારા તેની સાથે રાત્રિનો
સમય અને એકાન્ત સ્થાન નક્કી કરી લીધાં. પછી ભીમ દ્રૌપદીનાં કપડાં પહેરીને નક્કી કરેલા સ્થાન પર નક્કી કરેલા સમય પહેલાં જ પહોંચી ગયા.
કામાંધ કીચક જ્યારે ત્યાં પહોંચ્યો તો દ્રૌપદીને ત્યાં આવેલી જાણીને ખૂબ પ્રસન્ન થયો અને તેની સાથે પ્રેમગોષ્ઠી કરવા લાગ્યો, પરંતુ પ્રેમાલાપની ચેષ્ટાઓનો જવાબ તે પાપીને જ્યારે ભીમના અતિ આકરા મુષ્ઠિ-પ્રહારોથી મળ્યો ત્યારે તે ચકિત થઈ વિહ્વળ બની ગયો. તેણે પોતાની શક્તિ અનુસાર પ્રતિકાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ભીમની આગળ તેનું કાંઈ ચાલ્યું નહીં અને તે નિર્મદ અને દીન-દુ:ખી થઈ ગયો. એને દીન-દુ:ખી દશામાં જોઈને દયાળુ ભીમે ભવિષ્યમાં આવું કામ નહીં કરવાની
ચેતવણી આપીને છોડી દીધો. તેને પોતાનાં કરેલા કામોની સજા મળી ગઈ. સુરેશઃ- ત્યાર પછી પાંડવોનું શું થયું?
૭૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com