________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૫
| સુખ શું છે?
એ તો સર્વમાન્ય હકીકત છે કે બધા જ જીવો સુખ ચાહે છે અને દુ:ખથી ડરે છે. પરંતુ પ્રશ્ન તો એ છે કે વાસ્તવિક સુખ છે શું? વસ્તુતઃ સુખ કહે છે કોને? સુખનું સાચું સ્વરૂપ સમજ્યા વિના માત્ર સુખની ઈચ્છા કરવાનો કાંઈ અર્થ નથી.
પ્રાયઃ સામાન્ય લોકો ભોગ-સામગ્રીને સુખ-સામગ્રી માને છે અને તે મળતાં સુખ મળ્યું એમ સમજે છે અને તેથી તેમનો પ્રયત્ન પણ તે મેળવવા પ્રત્યે રહે છે. એમની દષ્ટિએ સુખ કેમ પ્રાપ્ત કરાય એનો અર્થ થાય છે “ભોગસામગ્રી કેમ પ્રાપ્ત કરવામાં આવે?” એમના હૃદયમાં “સુખ છે?” એવા પ્રકારનો પ્રશ્ન જ ઊઠતો નથી, કેમ કે એમનું અંતર્મન એમ માની બેઠું છે કે ભોગમય જીવન જ સુખમય જીવન છે. તેથી જ્યારે જ્યારે સુખ-સમૃદ્ધિની ચર્ચા થાય છે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે પ્રેમથી રહે, મહેનત કરો, ખૂબ અનાજ ઉગાડો, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ઉન્નતિ કરો-એથી દેશમાં સમૃદ્ધિ આવશે અને બધા જ સુખી થઈ જશે. આદર્શમય વાતો કહેવામાં આવે છે કે એક દિવસ એવો આવશે કે પ્રત્યેક માનવી પાસે ખાવા માટે પૌષ્ટિક ભોજન, પહેરવા માટે ઋતુઓને અનુકૂળ ઉત્તમ વસ્ત્ર અને રહેવા માટે આધુનિક અને વૈજ્ઞાનિક સુવિધાઓવાળો બંગલો હશે અને ત્યારે બધા જ સુખી બની જશે.
૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com