Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 41
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રતિમા અર્થાત્ નિશ્ચય પ્રતિમા છે અને તે-તે પ્રતિમાને અનુકૂળ શાસ્ત્ર-વિહિત કષાયમંદતારૂપ ભાવ તે દ્રવ્ય પ્રતિમા અથાત્ વ્યવહાર પ્રતિમા છે. તેને અનુકૂળ બાહ્ય ક્રિયાઓનો વ્યવહાર પ્રતિમા સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી તે ક્રિયાઓને પણ વ્યવહાર પ્રતિમા કહેવામાં આવે છે. જે જીવને એકલી દ્રવ્ય પ્રતિમા હોય અને તેને તે સાચી પ્રતિમારૂપ ચારિત્ર માનતો હોય તો વિપરીત માન્યતાને કા૨ણે મિથ્યાત્વનો બંધ થાય, તથા મિથ્યાત્વના બંધની સાથે કષાયની મંદતાના પ્રમાણમાં પુણ્ય-બંધ જરૂર થાય, તેનાથી સ્વર્ગાદિક પણ મળે, પરંતુ તે વડે તેના સંસારનો અંત બની શક્તો નથી. પાંચમા ગુણસ્થાનમાં ૧૧ પ્રતિમાઓ ગ્રહણ કરવાનો ઉપદેશ છે; તે આરંભથી (શરૂઆતથી ) ઉત્તરોત્તર ગ્રહણ કરવી જોઈએ. નીચેની પ્રતિમાઓની દશા જે ગ્રહણ કરી હોય તે પછી-પછીની પ્રતિમાઓમાં છૂટતી નથી, વૃદ્ધિ પામે છે. પહેલીથી છઠ્ઠી પ્રતિમા ધારણ કરનાર જઘન્યવ્રતી શ્રાવક, સાતમીથી નવમી પ્રતિમા ધારણ કરનાર મધ્યમવ્રતી શ્રાવક અને દસમી તેમ જ અગિયારમી પ્રતિમાધારી ઉત્કૃષ્ટવ્રતી શ્રાવક કહેવાય છે. પ્રશ્ન :-- ૧. નીચેની પરિભાષા લખો :-- પ્રતિમા, વ્રત પ્રતિમા, દર્શન પ્રતિમા, ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમા, અનુમતિત્યાગ પ્રતિમા. ૨. નીચેનાનો ૫રસ્પર તફાવત જણાવો :(૬) નિશ્ચય પ્રતિમા અને વ્યવહાર પ્રતિમા. (ખ ) બ્રહ્મચર્યાણુવ્રત અને બ્રહ્મચર્ય પ્રતિમા. (ગ ) ક્ષુલ્લક અને ઐલક. (ઘ ) પરિગ્રહત્યાગ વ્રત અને પરિગ્રહત્યાગ પ્રતિમા. ૩. કવિવર પંડિત બનારસીદાસના વ્યક્તિત્વ અને કર્તૃત્વ સંબંધી પરિચય આપો. ૩૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83