Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 51
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૩. ક્ષાયોપશમિક ભાવ ( આત્માની મુખ્યતાથી) ધર્મી જીવને સ્વસન્મુખ પુરુષાર્થ વડે શ્રદ્ધા અને ચારિત્રની આંશિક શુદ્ધ અવસ્થા હોય છે તેને જીવનો શ્રદ્ધા અને ચારિત્રની અપેક્ષાએ ક્ષાયોપમિક ભાવ કહે છે. અને તે જ સમયે દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીય કર્મોનો સ્વયં ફ્લદાનસમર્થરૂપે ઉદ્ભવ અને અનુદ્દભવ હોય છે તેને તે કર્મનો ક્ષયોપશમ કહે છે. ( કર્મની મુખ્યતાથી દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મોનો ફલદાનસમર્થરૂપે ઉદ્ભવ તથા અનુભવ હોય છે તેને તે કર્મનો ક્ષયોપશમ કહે છે, અને તેનાથી યુક્ત જીવની શ્રદ્ધા અને ચારિત્ર સંબંધી જે અવસ્થા હોય છે તેને જીવનો શ્રદ્ધા અને ચારિત્રનો ક્ષાયોપમિક ભાવ કહેવામાં આવે છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય વગેરેના આંશિક વિકાસ તથા આંશિક અવિકાસને જ્ઞાન, દર્શન, વીર્ય વગેરેનો ક્ષાયોપમિક ભાવ સમજી લેવો. આ બધા છદ્મસ્થ જીવોને હોય છે. ૪. ઔદિયક ભાવ કર્મોના ઉદયકાળમાં આત્મામાં વિભાવરૂપ પરિણમન થવું તે ઔદિયક ભાવ છે. ૫. પારિણામિક ભાવ સહજ સ્વભાવ, ઉત્પાદ-વ્યય નિરપેક્ષ, ધ્રુવ, એકરૂપ રહેવાવાળો ભાવ તે પારિણામિક ભાવ છે. આ ભાવોના ક્રમશઃ બે, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભેદ છે. ઔપશ્િમક ભાવના ઔપમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર એ બે ભેદ છે. ૧. પંચાસ્તિકાય સંગ્રહ, ગાથા ૫૬. ૨. દિનવાદાવશેવિંશતિત્રિમેવા યથામમ્। તત્ત્વાર્થસૂત્ર, અ. ૨, સૂત્ર ૨. ૩. સમ્યવત્વચારિત્રા તત્ત્વાર્થસૂત્ર, અ. ૨, સૂત્ર ૩. ૪૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83