Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates ' કયા કયા ભાવો છે? કેમ કે કહ્યું છે કે “બિન જાને હૈ દોષ-ગુણન કો, કૈસે તજીએ ગહિએ.” પ્રવચનકાર:- આ તમે ખૂબ સારું પૂછ્યું, કેમ કે હેય, જ્ઞેય, ઉપાદેયને જાણ્યા સિવાય કોઈ જાણકારી પૂરી હોતી નથી. ૧. ઔદિયક ભાવ હૈય, ઔપમિક ભાવ તથા સાધક દશાનો ક્ષાયોપમિક ભાવ અને ક્ષાયિક ભાવ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય અને પારિણામિક ભાવ આશ્રય કરવાની અપેક્ષાએ ૫૨મ ઉપાદેય છે. ૨. ઔદયિક ભાવ વિકાર છે, સાધક માટે તે હેય છે, આશ્રય કરવા યોગ્ય નથી. ઔપશમિક ભાવ, સાધકનો ક્ષાયોપમિક ભાવ સાદિ-સાંત છે અને એક સમયની પર્યાય છે; ક્ષાયિક ભાવ સાદિ-અનંત છે, પર્યાયરૂપ છે; તેથી તે આશ્રય કરવા યોગ્ય નથી. પારિણામિક ભાવ કે જે અનાદિ-અનંત છે તે એક જ આશ્રય કરવા યોગ્ય છે. સારાંશ એ છે કે જેમણે ધર્મ કરવો હોય, સુખી થવું હોય, એમણે ઔયિકાદિ ચારે ભાવો પરથી દષ્ટિ ઉઠાવી લઈને માત્ર પ૨મ પારિણામિકભાવરૂપ ત્રિકાળી ભૂતાર્થ જ્ઞાયક-સ્વભાવનો જ આશ્રય લેવો જોઈએ કેમ કે તેના આશ્રય વડે જ ધર્મની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. પ્રશ્ન: ૧. જીવના અસાધારણ ભાવો કેટલા છે? ક્યા ક્યા? નામ સાથે લખો. ૨. સૌથી અધિક સંખ્યા ક્યા ભાવવાળા જીવોની છે? અને શા માટે? ૩. ક્ષાયોપમિક ભાવના કેટલા ભેદ છે ? નામ સાથે લખો. ૪. શું અભવ્યોને ઔપમિક ભાવ હોઈ શકે ? ૫. સિદ્ધોને કેટલા ભાવો છે અને ક્યા ક્યા? ૬. પાંચ ભાવોમાં હ્રય, જ્ઞેય અને ઉપાદેય જણાવો. ૭. આચાર્ય ઉમાસ્વામીના વ્યક્તિત્વ અને કર્તુત્વ સંબંધી પરિચય આપો. ૫૪ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83