________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્ષયથી યુક્ત તે “ક્ષાયિક' છે, પરિણામથી યુક્ત તે “પારિણામિક' છે.”
કર્મોપાધિની ચાર પ્રકારની દશા (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય) જેમનું નિમિત્ત છે એવા ચાર ભાવો છે; જેમાં કર્મોપાધિરૂપ નિમિત્ત બિલકુલ
નથી, માત્ર દ્રવ્યસ્વભાવ જ જેનું કારણ છે એવો પારિણામિક ભાવ છે. જિજ્ઞાસુ હજુ સંપૂર્ણપણે સમજમાં આવ્યું નથી, કૃપા કરી વિસ્તારથી સમજાવો. પ્રવચનકાર- સાંભળો! હું એ અલગ-અલગ સમજાવું છું. સમજવાનો પ્રયત્ન કરો,
જરૂર સમજમાં આવશે. ૧. ઔપથમિક ભાવ
(આત્માની મુખ્યતાથી) આત્માના સ્વસમ્મુખ પુરુષાર્થરૂપ શુદ્ધ પરિણામથી જીવનો શ્રદ્ધા તથા ચારિત્ર સંબંધી જે ભાવમલ તેના દબાઈ જવા રૂપે ઉપશામક ભાવ હોય છે તેને પથમિક ભાવ કહે છે. અને તે જ સમયે દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીય કર્મનો પણ સ્વયં ફલદાનસમર્થરૂપે અનુભવ હોય છે તેને કર્મનો ઉપશમ કહે છે.
(કર્મની મુખ્યતાથી) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મનો ફલદાનસમર્થરૂપે અનુભવ હોવો તે કર્મનો ઉપશમ છે અને એવા
ઉપશમથી યુક્ત જીવનો ભાવ તે ઔપથમિક ભાવ છે. ૨. ક્ષાયિક ભાવ
આત્માના સ્વસમ્મુખ પુરુષાર્થ વડે કોઈ ગુણની અવસ્થામાં અશુદ્ધતાનો સર્વથા ક્ષય થવો અર્થાત્ પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થવી તે સાયિક ભાવ છે. તે જ સમયે સ્વયં કર્માવરણનો સર્વથા નાશ થવો તે કર્મનો ક્ષય છે.
४८
Please inform us of any errors on rajesh@AtmaDharma.com