________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તથા શુભ ભાવોના કાળમાં પણ ઘાતિ કર્મોનો બંધ તો થયા જ કરે છે, તેથી શુભ ભાવો બંધનું જ કારણ હોવાથી ભલા કેમ હોઈ શકે ?
સંવર
હુ
ઇ.
૧. અહિંસાદિરૂપ ભાસ્ત્રવભાવોને સંવર માને છે, પણ એક જ કારણ વડે પુણ્યબંધ અને સંવર -બેઉ કેમ બની શકે ? આની એને ખબર નથી.
૨. શાસ્ત્રમાં કહેલા સંવરનાં કારણો જે ગુતિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર છે તેના સ્વરૂપને પણ યથાર્થ જાણતો નથી. જેમ કે – (ક) પાપ ચિંતવન ન કરે, મન ધારે તથા ગમનાદિ ન કરે, તેને તે ગુતિ માને
છે. પણ ભક્તિ આદિરૂપ પ્રશસ્તરાગ વડે વિવિધ પ્રકારના વિકલ્પોમાં થાય છે તેના તરફ તો લક્ષ નથી. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન-કાયાની
ચેષ્ટા થાય નહીં એ જ સાચી ગુતિ છે. (ખ) એ જ પ્રમાણે યત્નાચાર પ્રવૃત્તિને સમિતિ માને છે. પણ એને એ ખબર
નથી કે હિંસાના પરિણામોથી તો પાપ થાય છે, તથા રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો પુણ્યબંધ કયા કારણ વડે થશે? મુનિઓને કિંચિત્ રાગ થતાં ગમનાદિ કિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તિના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી તથા અન્ય જીવોને દુઃખી કરીને તેઓ પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી અને તેથી સ્વયં જ દયા
પળાય છે; એ જ સાચી સમિતિ છે. (ગ) વળી બંધાદિકના ભયથી અથવા સ્વર્ગ-મોક્ષના લોભથી તે કોધાદિ કરતો
નથી, પણ ત્યાં કોધાદિ કરવાનો અભિપ્રાય તો મટયો નથી, છતાં પોતાને ક્ષમાદિ ધર્મનો ધારક માને છે. જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ પદાર્થ ઈષ્ટ–અનિષ્ટરૂપ ભાસે નહિ ત્યારે ક્રોધાદિ સ્વયં જ ઊપજતા નથી; અને
ત્યારે જ સાચો ધર્મ થાય છે. (ઘ) અનિત્યાદિ ભાવનાના ચિંતવનથી શરીરાદિને બૂરાં જાણી તેનાથી ઉદાસ થવું
૧. રાગ-દ્વેષયુક્ત વિચાર.
૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com