________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેથી આમાં પણ અવ્યાતિ દોષ છે. પ્રવચનકાર:-- તમે બરાબર કહ્યું. હવે કોઈ અન્ય શ્રોતા જવાબ આપે. - “ જે
અમૂર્તિક હોય તેને જીવ કહે છે,” શું આ બરાબર છે ? શ્રોતા:-- હા, કેમ કે બધા જ જીવ અમૂર્તિક છે, તેથી એમાં અવ્યાતિ દોષ નથી. પ્રવચનકાર:-- આ લક્ષણ પણ સાચું નથી. જો કે તેમાં અવ્યામિ દોષ નથી, પણ
અતિવ્યાતિ દોષ છે, કેમ કે જીવો સિવાયનાં આકાશ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને કાલ દ્રવ્ય પણ અમૂર્તિક છે. આ લક્ષણમાં “જીવ” લક્ષ્ય છે અને
જીવ સિવાયના અન્ય દ્રવ્યો એટલે કે અજીવ દ્રવ્યો ” અલક્ષ્ય છે. જો કે બધા જીવો અમૂર્તિક છે, પણ જીવ સિવાયનાં આકાશાદિ દ્રવ્યો પણ અમૂર્તિક તો છે, મૂર્તિક તો એકમાત્ર પુગલ દ્રવ્ય જ છે. તેથી આ લક્ષણ લક્ષ્યમાં અને સાથે અલક્ષ્યમાં પણ વ્યાપ્ત હોવાથી અવ્યામિ દોષયુક્ત છે. જો “જે અમૂર્તિક તે જીવ” એમ માનવામાં આવે તો આકાશાદિ બીજાં ચાર દ્રવ્યોને
પણ જીવ માનવાં પડે. શંકાકાર:- જો આત્માનું લક્ષણ વર્ણ-ગંધરસ-સ્પર્શવાન માનવામાં આવે તો ? પ્રવચનકાર:-- આ વાત તમે ખૂબ મજાની કહી ! શું ઊંઘતા હતાં, ભાઈ ? આ
તો અસંભવ વાત છે. આત્મામાં વર્ણાદિકનું હોવું સંભવિત જ નથી, તેથી આમાં તો અસંભવ નામનો દોષ આવે છે. આવા જ દોષને અસંભવ દોષ
કહેવામાં આવે છે. શંકાકાર- આ લક્ષણો તો આપે દોષયુક્ત બતાવ્યાં, તો હવે આપ બતાવીને કે
જીવનું સાચું લક્ષણ શું હોય? પ્રવચનકાર - જીવનું સાચું લક્ષણ ચેતના અર્થાત્ ઉપયોગ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું
છે- “ઉપયોગ નક્ષણ”. આમાં નથી આવ્યામિ દોષ, કેમ કે ચેતના (ઉપયોગ) બધા જ જીવોમાં હોય છે; અને નથી અતિવ્યાતિ દોષ, કેમ કે ઉપયોગ જીવ સિવાય કોઈપણ દ્રવ્યમાં હોતો નથી. વળી અસંભવ દોષ તો
૨૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com