________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શંકાકાર:- તો શું લક્ષણ સદોષ પણ હોય છે?
પ્રવચનકારઃ- લક્ષણ તો નિર્દોષ લક્ષણને જ કહે છે, જે લક્ષણ સદોષ હોય તેને લક્ષણાભાસ કહેવામાં આવે છે. લક્ષણાભાસોમાં ત્રણ પ્રકારના દોષ હોય
છે
(૧) અવ્યાપ્તિ, (૨) અતિવ્યાપ્તિ અને (૩) અસંભવ.
લક્ષ્યના એકદેશમાં રહેવાવાળા લક્ષણને અવ્યાપ્તિ દોષ કહે છે. જેમકેગાયનું લક્ષણ શામળાપણું અથવા પશુનું લક્ષણ શિંગડાં કહેવું. શામળાપણું બધી ગાયોમાં હોતું નથી, તે જ પ્રમાણે શિંગડાં પણ બધા પશુઓને હોતાં નથી, તેથી એ બેઉ લક્ષણો અવ્યાતિ દોષ સહિત છે.
શંકાકાર:- જો ગાયનું લક્ષણ શિંગડાં માનીએ તો ?
ર
પ્રવચનકારઃ- તો પછી તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષયુક્ત થાય, કેમ કે જે લક્ષણ લક્ષ્ય અને અલક્ષ્ય બંનેમાં ૨હે-તેને અતિવ્યાસિ દોષયુક્ત કહે છે. જિજ્ઞાસુઃ- આ અલક્ષ્ય શું છે?
બને છે. જો લક્ષણ સદોષ હોય તો તે પરીક્ષાની કસોટીમાં પાર ઊતરી શકે નહીં અને અસત્ય સાબિત થાય.
પ્રવચનકાર:- લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને અલક્ષ્ય કહે છે. જો કે બધી ગાયોને શિંગડાં હોય છે, પરંતુ ગાયો સિવાયનાં અન્ય પશુઓને પણ શિંગડાં હોય છે. અહીં ‘ ગાય ' લક્ષ્ય છે, અને ‘ગાય સિવાયનાં અન્ય
"
પશુઓ ' અલક્ષ્ય છે, તથા કહેવામાં આવેલું જે ગાયનું લક્ષણ ‘શિંગડાં ’ તે લક્ષ્ય એવી ‘ ગાયો ’ તથા અલક્ષ્ય એવાં ‘ગાયો સિવાયનાં અન્ય પશુઓમાં ' પણ
૧.
ર.
‘લક્ષ્મવેશનૃત્યવ્યાપં, યથા-શો: શાવલેયત્વા’
-ન્યાયદીપિકા : વી૨ સેવા મંદિર, સરસાવા, પૃષ્ઠ ૭. ‘નક્ષ્યાલક્ષ્મવૃત્યતિવ્યાપ્ત, યથા—તથૈવ પશુત્વ।”
-ન્યાયદીપિકા : વી૨ સેવા મંદિર, સરસાવા, પૃષ્ઠ ૭.
66
૨૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com