Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે, તેથી આસક્તિભાવ પણ ઘટી જાય છે. શરીરને ટકાવી રાખવા માટે ભોજન લેવાનો ભાવ તો આવે છે પરંતુ સચિત્ત ભોજન-પાન કરવાનો વિકલ્પ ઊઠતો નથી, તેથી તે સચિત્ત ભોજનનો ત્યાગ કરી દે છે અને પ્રાસુક પાણી ઉપયોગમાં લે છે. પાંચમી પ્રતિમાધારી શ્રાવકને જે આંતરિક શુદ્ધિ છે તે નિશ્ચય પ્રતિમા છે અને મંદકષાયરૂપ શુભભાવ તથા સચિત્ત ભોજન-પાનનો ત્યાગ છે તે વ્યવહાર પ્રતિમા જેમ ઊગવાની યોગ્યતા હોય એવાં અનાજ અને લીલી વનસ્પતિને સચિત્ત ૬. દિવામૈથુનત્યાગ પ્રતિમા જો દિન બ્રહ્મચર્ય વ્રત પાલે, તિથિ આયે નિશિ દિવસ સંભાલી ગહિ નવ વાડેકરે વ્રત રક્ષા, સો પટું પ્રતિમા શ્રાવક અખ્યા 13 આ પ્રતિમાને યોગ્ય યથોચિત શુદ્ધિ તે નિશ્ચય પ્રતિમા છે તથા ત્યાગરૂપ શુભાશુભ તે વ્યવહાર પ્રતિમા છે. સાધક જીવે બીજી પ્રતિમા ધારણ કરતાં સ્વ-સ્ત્રી સંતોષવ્રત તો લીધું જ હતું, પણ હવે તેની અપેક્ષાએ સ્વરૂપસ્થિરતા વધી જવાથી આસક્તિ પણ ઘટી ગઈ છે. તેથી છઠ્ઠી પ્રતિમાધારી શ્રાવક નવ વાડ સહિત દિવસના સમયે હંમેશા અને આઠમ, ચૌદશ વગેરે તિથિ પર્વ ને દિવસે રાત્રે પણ બ્રહ્મચર્યવ્રત પાળે છે અને એવા અશુભ ભાવો ઉત્પન્ન ન થાય તેની પ્રતિજ્ઞા કરે છે. આચાર્ય સમન્તભદ્ર છઠ્ઠી પ્રતિમાને રાત્રિભુક્તિત્યાગ પ્રતિમા પણ ૧. રત્નકરણ્ડક શ્રાવકાચાર : આ. સમન્તભદ્ર, શ્લોક ૧૪૧ ૨. નવાવાડ :-- ૧.સ્ત્રીઓના સમાગમમાં ન રહેવું, ૨. રાગભરી દષ્ટિ વડે નહીં દેખવું, ૩. પરોક્ષ રીતે (છૂપાઈને) વાતચીત, પત્રવ્યવહાર વગેરે ન કરવાં. ૪. પૂર્વે ભોગવેલા ભોગો યાદ નહીં કરવા, ૫. કામોત્પાદક ગરિષ્ઠ ભોજન નહીં કરવું, ૬, કામોત્પાદક શ્રૃંગાર નહીં કરવો, ૭. સ્ત્રીઓનાં આસન, પલંગ વગેરે પર બેસવું કે સૂવું નહીં, ૮, કામોત્પાદક કથા, ગીત વગેરે સાંભળવા નહીં, ૯. ભૂખ કરતાં વધારે ભોજન નહીં કરવું. ૩. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદ ગુણસ્થાન અધિકાર, છંદ ૬૫. ૩૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83