________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાત તત્ત્વો સંબંધી ભૂલો
જ્યાં સુધી જીવાદિ સાત તત્ત્વોનું વિપરીતાભિનિવેશ રહિત સાચું ભાવભાસન ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકતી નથી. જૈન શાસ્ત્રોનું અધ્યયન કરી લેવા છતાં મિથ્યાદષ્ટિ જીવને તત્ત્વનું સાચું ભાવભાસન હોતું નથી.
જીવ અને અજીવ સંબંધી ભૂલો
૧. જૈન શાસ્ત્રોમાં કહેલા જીવના ત્રસ-સ્થાવરાદિરૂપ તથા ગુણસ્થાનમાર્ગણાદિરૂપ ભેદોને તથા અજીવના પુદ્ગલાદિરૂપ ભેદોને અને વર્ણાદિરૂપ પર્યાયોને તો જાણે છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદવજ્ઞાન તથા વીતરાગદશા થવાના કારણભૂત જેવું નિરૂપણ કર્યુ છે તેવું જાણતો નથી.
૨. વળી જો કોઇ પ્રસંગથી તેવું પણ જાણવું થાય તો શાસ્ત્રાનુસાર જાણી લે છે, પરંતુ આપને આપરૂપ જાણી તેમાં ૫૨નો અંશ પણ ન પોતાનો અંશ પણ ૫૨માં ન મેળવવો-એવું સાચું શ્રદ્ધાન કરતો નથી.
મેળવવો અને
૩. અન્ય મિથ્યાદષ્ટિઓની જેમ આ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે.
૪. શાસ્ત્રાનુસાર આત્મા સંબંધી ચર્ચા કરતો હોવા છતાં પણ ‘હું આત્મા છું અને શરીરાદિ મારાથી ભિન્ન છે' એવો ભાવ ભાસતો નથી. જેમ કોઇ બીજાની જ વાતો કરી રહ્યો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે.
૫. વળી જીવ અને પુદ્દગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે, તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નિપજેલી માને છે; પણ આ જીવની ક્રિયા છે તેમાં પુદ્દગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે, એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી.
૧.
૩.
આસ્રવ
૧. હિંસાદિરૂપ પાપાસ્ત્રવ છે તેને તો હેય માને છે પરંતુ અહિંસાદિરૂપ
ઊંઘી માન્યતા અથવા ઊંધો અભિપ્રાય, ૨. અંતરંગ જ્ઞાન,
ત્યાગ કરવા યોગ્ય.
૧૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com