Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૮૮
હોય. કઈ ઉત્કૃષ્ટ આરાધનામાં કઈ આરાધના કઈ જાતની હોય જ છે, તે સમજવા માટે શ્રી ભગવતીજીને અનુસારે અપાતો આ કોઠો વિચારવો.
જ્ઞાનની ઉત્કૃષ્ટ
ચારિત્રની ઉત્કૃષ્ટ
±t ]]>→]63
+3 ]×Çíß
ઉત્કૃષ્ટ
શ્રી સિદ્ધચક્ર
મધ્યમ उत्कृष्ट
આ કોઠા ઉપર ધ્યાન દેવાથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરનારો
તા. ૩-૮-૧૯૩૬
મનુષ્ય હોય તે ચારિત્રની જધન્ય આરાધનાવાળો ન જ હોય, અર્થાત્ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળાને ચારિત્રની મધ્યમ કે ઉત્કૃષ્ટ આરાધના તો હોવી જ જોઈએ, તેવી રીતે દર્શનની ઉત્કૃષ્ટ આરાધનાવાળાને ચારિત્રની આરાધના ન હોય તે ન ચાલે, પણ જધન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ એ ત્રણમાંથી કોઈ પણ આરાધના તો હોવીજ જોઈએ. આ ઉપરથી એકલા ક્ષાયિકસમ્યક્ત્ત્વવાળા ભલે ઉત્કૃષ્ટ ગણાય, પણ તે દર્શનની આરાધનાવાલા તો ન જ ગણાય, તેવી જ રીતે ધ્યાન રાખવું જ જોઈએ કે ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાવાળાને જ્ઞાનની અનારાધકતા તો ન જ હોય. આરાધના તો જરૂર હોય, પછી તે જધન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઈ પણ પ્રકારની હોય. અર્થાત્ અષ્ટપ્રવચનમાતા જેટલું પણ જ્ઞાન હોવું જોઈએ. અને ચારિત્રઆરાધનાની ઉત્કૃષ્ટતાવાળાને દર્શનની તો મધ્યમ અને ઉત્કૃષ્ટ જ આરાધના જ હોય, અર્થાત્ દર્શનમાં જધન્ય આરાધનાવાળા ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાવાળા ન હોય.
આ સર્વ હકીકત સમજીને ભવ્યજીવોએ સતત મોક્ષમાર્ગની અભિલાષાએ ત્રણેની આરાધનામાં જરૂર તત્પર રહેવું જોઈએ.