Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરાણ અને આગમ સાહિત્ય
આમ તે ધણુ કરીને બધાં પુરાણામાં દેવમૂર્તિ નિર્માણને લગતી પ્રચૂર સામગ્રી હોય છે, પરંતુ મત્સ્ય, વિષ્ણુ, લિંગ, અગ્નિ, ગરુડ, સ્કુ અને ભવિષ્ય પુરાણમાં અને વિશેષે કરીને વિષ્ણુમૈ ત્તર પુરાણમાં પ્રતિમાવિધાનને લગતાં વિસ્તૃત તેમજ વિશદ વિવરણ પ્રાપ્ત થાય છે.
મત્સ્ય પુરાણુમાં લગભગ ૧૦ અધ્યાયેા (અધ્યાય ૨૫૧, ૨૫-૨૬૭)માં વિવિધ દેવતાઓની પ્રતિમાનાં લક્ષશા નિરૂપાયાં છે. આમાં અધ્યાય ૨૬૭માં વર્ણિત પ્રતિમા-માન (પ્રતિમાની સાપ)ને લગતું પ્રકરણ અદ્ભુત છે. શૈવ પ્રતિમામાં લિંગભૂતિએ અને આગમ-પ્રસિદ્ધ લિંગાËવ મૂર્તિએ તેમ જ શિવની પ્રતિમાએ જેવી કે, અનારીશ્વર વગેરેનું વણ્Ćન અપાયું છે. મહિષાસુર મર્દિની, ઇન્દ્ર-ઇન્દ્રાણી વગેરેની પ્રતિમાઓનું વન તેમજ તેમનાં તાલમાન પણ અપાયાં છે. મત્સ્યપુરાણુમાં વાસ્તુવિદ્યાના અઢાર પ્રણેતાઓમાં ભૃગુ, અગ્નિ, વશિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, અગ્નિજિત્, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નંદીશ, શૌનક, ગગ`, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર અને ખ્રુહસ્પતિમાં ગણુના કરવામાં આવી છે
અગ્નિપુરાણમાં મૂતિવિધાનની ચર્ચા કુલ ૧૬ અધ્યાયેા (અધ્યાય ૪૧-૪૬,૪૯-૫૫; ૬૦-૬૨)માં વિસ્તારથી કરવામાં આવી છે. એમાં વાસુદેવ, દશાવતાર, સૂર્ય, ચતુષ્ટિ યોગિની, લક્ષ્મી વગેરેને લગતાં વધુ ના મળે છે. તે ઉપરાંત આ પુરાણુમાં પ્રતિમાઓના પાયને લગતા અધ્યાય પણુ અપાયે છે જે એની ખીજી મહત્ત્વપૂર્ણ વિશેષતા છે. આમાં ૨૪ પ્રકારનાં શાલિગ્રામ અને ૦ પ્રકારનાં લિ...ગાનુ` બહુ ન પણ રાચક છે.
વિષ્ણુધર્માંત્તર પુરાણના ત્રીજા ખંડના અંતિમ ૪૨ અધ્યાયેામાં મૂર્તિ કલા પર શાસ્ત્રીય વિવેચન પાયું છે. આમાં દેવી-દેવતાઓ, દિક્પાલ, નાગ, યક્ષ, ગધવ, નવગ્રહ, સૂર્ય તથા મૂર્તિ રૂપે જે ઉપાસ્ય નથી એવા વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિşાસ વગેરેમાં વર્ણિત દેશની પ્રતિમાઓનું પણ વધુન જવામાં આવ્યુ` છે.
સ્કંદપુરાણુના માહેશ્વર ખંડ (અધ્યાય ૪૫, ૪૭, ૪૮)માં સ્મૃતિવિધાન અને ાલિગ્રામનાં ક્ષા પણ નિરૂપાયાં છે. ગરુડપુરાણું પણ શાલિગ્રામના પ્રકારાનું વિસ્તારથી વર્ણન કરે છે. ભવિષ્યપુરાણુ (અધ્યાય ૧૨, ૧૩૧, ૧૩૨)માં પ્રતિમા-લક્ષણ, પ્રતિમા–પદાર્થ, પ્રતિમા-માન વગેરે વિષયે પુર પ્રકાશ પાડવામાં આવ્યે છે.
વરાહમિહિરની બૃહત્સંહિતા (અધ્યાય ૧૮-૬૦, ૬૯)ની અપુરાણ તરીકે ગણના થાય છે. એમાં પ્રત્તિમાલક્ષણ અને પ્રતિમા–નિર્માણ માટે આવશ્યક સામગ્રી, પ્રતિમાવિધિ તેમજ પચ મક્કાપુરુષનાં લક્ષણુ (અધ્યાય પ-૬૦, ૬૬) અને વજ્રલેપનવિધિ (અધ્યાય ૫-૭) વગેરેનુ વર્ણન છે. દડત, ફાટેલી કે ભગ્ન પ્રતિમાએંને સાંધવાની કે વિધિ વજ્રલેપનવિધિમાં નિરૂપવામાં આવી છે.
આગમ ગ્રંથામાં પ્રતિમાવિધાનને લગતી સામગ્રી પ્રચૂર માત્રામાં વષ્ટિત છે. પુરાતની સર્જાયા ૧૮ છે અને આગમ ૨૮ છે. ઉપપુરાણેાની જેમ ઉપાગમ પણ છે અને તેમની સંખ્યા તે ૨૦૦૦ કરતાં પશુ ધારે છે. આને લઈને આગમામાં વાસ્તુ અને પ્રતિમાશાસ્ત્રને લગતી સામગ્રીનુ સાંચાપાંગ વન શ્રાપ્ત થાય છે. કેટલાંક આગમેામાં વાસ્તુશાસ્ત્રીય વિવરણ એટલુ તા વિપુલ પ્રમાસૂમાં મળે છે કે તેમને વાસ્તુના શ્રથા તરીકે જ ઓળખવામાં આવે છે. દા. ત. કાત્રિકાગમ, કારામ, સુપ્રભેદાનસ, વૈખાનસાગમ, અ‘શુમદ્વેતાગમ વગેરે આ દૃષ્ટિએ વિશેષ ઉલ્લેખનીય છે. માગમની વિશેષતા એ છે ભારતીય સ્મૃતિ પર પરાના આધાર-ગ્રંથ ]
[.૧૧
For Private and Personal Use Only