Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય મૂર્તિપરંપરાના આકાર-ગ્રંથ
પ્રવીણચંદ્ર પરીખ
પ્રાચીન ભારતીય શિલ્પકલાના વિષય પર ધાર્મિક અને સામાજિક એવા બે પ્રકાર બેનામ પાકે છે. ધાર્મિક પ્રકારનાં શિપમાં બહાણ, બૌદ્ધ તેમ જ જેન એ ત્રણેય ધર્મોને લગતા વિક
વ્યા છે. એમાં મુખ્યત્વે દેવી-દેવતાઓ અને લોકધર્મને લગતાં શિપ સહિત પૌરાણિક કથાનક તેમ જ શિ૯૫ પ્રતીકે દષ્ટિગોચર થાય છે. સામાજિક શિલ્પોમાં બાળકનાં રમકડાં, અલંકરણાત્મક મંકને, સમાજમાં પ્રચલિત રીત-રિવાજો, ઉત્સવો, સજાઓ અને તેમને લગતી ઘટનાઓનું પ્રતિબિંબ નજરે પડે છે. વસ્તુતઃ પ્રાચીન ભારતીય શિલ્પકલાના અભ્યાસથી તત્કાલીન સામાજિક જીવન તેમજ સાંસ્કૃતિક ઇતિહાસના આલેખનમાં ઘણી સહાયતા સાંપડે છે:
- ભારતીય શિલ્પ–સાહિત્યમાં અલંકરણાત્મક શિપની અપેક્ષાએ મતિશિલ્પને સ્પર્શતું વિવેચન અને નિરૂપણ વિશેષ નજરે પડે છે. પ્રતિમાઓને લગતા ઉલલેખ છેક વૈદિક સાહિત્યથી પ્રાપ્ત થવા લાગે છે. ઋદમાં ઈંદ્ર, વરુણ, સૂર્ય, રુદ્ર વગેરે મુખ્ય દેવોને ઉલલેખ છે પણ વેદકાલ કે ઉત્તર કાલની પ્રતિમાઓ ઉપલબ્ધ નહિ હોવાથી વૈદિક દેવી-દેવતાના પ્રતિમા વિધાન વિશે કંઈ નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેમ છતાં એહ્યું તે નોંધપાત્ર અવશ્ય છે કે ઉત્તર વૈદિક સાહિત્યમાં વિશ્વકર્માને દેવતાઓના શિપી બતાવવામાં આવ્યા છે. તેઓ એ સમયે ઉત્તર ભારતમાં પ્રચલિત શિ૯૫ તેમજ સ્થાપત્ય પ્રણાલીના આચાર્ય હાય. બીજી બાજુ દક્ષિણ ભારતમાં પ્રચલિત શિલ્પપરંપરાના આચાર્યન સ્થાન “મય' ને પ્રાપ્ત થયાનું જણાય છે. આચાર્ય મયે દક્ષિણમાં શિલ્પ-સ્થાપત્યની સ્વતંત્ર શૈલીને વિકાસ કર્યો હતો.
બ્રાહ્મણ, ગ્રંથ તેમજ સૂત્ર ગ્રંથમાં સ્થાપત્યને લગતાં વણને મળે છે, પણ તેમાં મૂર્તિવિધાનને લગતા ઉલલેખ જવલ્લે જ મળે છે. રામાયણ અને મહાભારતમાં દેવાલ, મહેલ, દુગે અને નગરની, વાસ્તુક્લાનું પ્રર વિવરણ પ્રાપ્ત થાય છે. એમાં પણ ક્રમશ: વિશ્વકર્મા અને મયને દેવતાઓ અને ધાનના શિપી તરીકે ઓળખાવાયા છે. દેવતાઓને જે જગ્યાએ સ્થાપિત કરવામાં આવતા તેને મારિ, દેવાયતન, દેવાલય વગેરે નામ અપાયાં હતાં. એ પરથી જણાય છે કે વિવિધ દે,. જેવા કે, ઈક, યમ, વરાણ, મેર, બ્રહ્મા વગેરેની મૂતિઓ બની હશે. રામાયણના કિષ્કિ-ધાકાંડ (અધ્યાય ૫૧), માં બ્રહ્મા પાસેથી મયે કેવી રીતે વાસ્તુવિદ્યા ગ્રહણ કરી તેનું સવિસ્તર વર્ણન છે.
પ્રતિમા–નિમણને લગતા અહિત્યની મુખ્ય પાંચ ધારાએ. જોવામાં આવે છે. પુરાણ, આચમ, તત્ર, શિલ્પશાસ્ત્ર અને પ્રતિષ્ઠા પદ્ધતિ.
ભારતીય શિલ્પકલા અને મૂર્તિ રચનાનું મુખ્ય કારણ પૌરાણિક ધર્મને પ્રચાર-પ્રસાર હતું. આ જ કારણને લઈને ભારતમાં ભવ્ય પ્રાસાદો, વિમાને, ચૈત્યગૃહ, વિહાર, તીર્થસ્થાને અને જળાશય વગે નિર્માણ થયું. આ વાસ્તુવૈભવના મૂળમાં પ્રતિમા–નિર્માણની અદ્દભુત પરંપરા અને ઉપર્યાપ્ત સાહિત્યિક ધારાએ ઉ૫રાંત તિક જેવા અવાસ્તુશાસ્ત્રીય ગ્રંથમાં પણ વાસ્તનિર્માણની સાથોસાથ
મા-વિધાનનાં પ્રકરાને સ્થાન મળ્યુ હતુ. વરાહમિહિરેકૃત બૃહતસંહિતા આનું શ્રેષ્ઠ ઉદાહષ્ણુ છે. * નિયામક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ-૯
[ સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે૧૯૯૩
For Private and Personal Use Only