Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 71
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉફે “મદાલસાચમ્પ” એ મુંબઈથી ઈ. સ. ૧૮૯૦માં ગ્રંથ રત્નમાલા કમાંક-૪ તરીકે પ્રકાશિત થયો છે. એમને બીજે ગ્રંથ છે. સંસ્કૃત સાહિત્યમાં રચેલે સૌથી મોટો ભાણ એટલે “પંચાયુધપ્રપંચ ભાણું”. આ ભાણુમાં જ છેલ્લે આવો ઉલ્લેખ છે કે એ ભાણું શક ૧૭૨૭ (ઈ. સ. ૧૮૦૫)માં પુણે શહેરમાં રચાય છે. આ બંને ગ્રંથના આદિ બ્લેક અને અંતિમ શ્લોક એક જ છે જે નીચે પ્રમાણે છે: आदि : ग्रन्थस्य लिख्यमानस्यास्यान्तरा पततां मुहुः । . शान्त्यर्थमन्तरायाणां शिवां पञ्चमयीं नुमः ॥ 'अन्त : त्रिविक्रमकृतामेतां शीतांशुसहजासखां । त्रिविक्रमः कृति पायादपायादघसम्भवात् ।। પંચાયુષપ્રપંચભાણના આઠમા અને નવમા લોકમાં ત્રિવિક્રમ પતાના ભાઈ યંબક, સાથે જ પિતાના અને પોતાના પિતા ચિધનાનન્દનાથના જ્ઞાન-શિક્ષણની પાર્શ્વભૂમિ જણાવતાં લખે છે. न्यायाम्भोनिधिमन्दरः श्रुति शिरः कासारपाठीनराट् मीमांसा त्रिमुनिश्रुतप्रकटितानल्पात्मधीवैभवः । यः साहित्यकलाविलोलनयनामाङ्गल्यसूत्र दृढं सोऽय त्र्यम्बकपण्डितो विजयते यस्याग्रजः सोदरः ।। न केवलमग्रजो विद्याप्रदश्च । (साश्चर्य) किं वय ? "किमयमनवद्यसकलविद्यानिधेस्यम्बकविद्वन्मणेरनुजन्मना त्रिविक्रमेण प्रणीतो भाण: ? तर्हि विदित एवायमस्माकम् । यत्कारुण्यात्कवयितुरमुष्याग्रजः ख्यातकीर्तिः लोके सारस्वतजलनिधेः पारदश्वा बभूव । सोऽयं विद्यागुणमणिखनिः सर्वमन्त्रात्ममूर्तिः तातो यस्य त्रिदशदशश्चिद्घनोनन्दनाथः ॥ આ બે શ્લોક ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે બંને ભાઈઓ (બક અને ત્રિવિક્રમ) વિવિધ શાસ્ત્રોમાં નિષ્ણાત હતા. * પંચાયુધપ્રપંચભાણની શરૂઆતમાં જ ત્રિવિક્રમ એવું સ્પષ્ટ જણાવે છે કે આ ભાણને પુણે શહેરમાં પ્રયોગ થાય છે. गुमे। :- सूत्रधारः (आकाशे कर्णदत्वा) अये । कोऽयमभिहन्यमानमृदुमधुरमृदङ्गनिनद संगतसंगीतभङ्गी परिमिलनमनोहरों नागराणां कलकल: ? तन्मन्ये सकलसुरासुरशिखरशेखरो भवदनवद्यशासनस्तम्बस्य भगवतः शम्बररिपोर्वसन्तपूजामहोत्सवः परिसरोद्याने समारब्धः पुण्यपुरविलासिमिरिति । तदहमपि तत्र गत्वा कञ्चित् समयं मनो विनोदयामि । આ ભાણના અંતે કવિ આ ભાણ કયાં અને કયારે ભજવ્યો હતો તેની વિગત આપે છે. ऋषिनयनाचलशशिमितशकवर्षे (१७२७) क्रोधनामिधे शुक्रे । यात: सितद्वितीया सुरगुरु दिन एष पूर्णतां भाण: ॥ जयति धृतपुण्ड्रचापश्चरणसरोजानताखिलाशापः । पुरहरपुण्यविवर्तस्त्रिविक्रमाघौघ जन्तुसंवर्तः ।। પુણે શહેરમાં શક ૧૭૨૭( ઈ. સ. ૧૮૦૫)માં આ ભાણની રચના પૂર્ણ થઈ. આવા સ્પષ્ટ ઉલ્લેખથી એવું અનુમાન કરી શકાય કે ત્રિવિક્રમ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં થયા. [सामा५ : मेनिक्ष, '४४-सप्टे., १८६. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94