Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 219
________________ EEEEEEEEEEEEEE EEEEEEEEEEEEEEEEEEE જ આપૃચ્છા સામાચારી જ માટે તેઓ મોટા કાર્યોમાં ગુરને પૂછતાં હોવાં છતાં આપૃચ્છા સામાચારીના પાલક ન ગણાય. દા.ત. કુલ ૧૦૦ કામોમાંથી ૯૦ કામો નાના છે, એમાં તેઓ ગુરુને પુછતા નથી. અને ૧૦ મોટા કામોમાં પૂછે છે. તો એ ૧૦ B 8 મોટા કામોમાં કરાતી પૃચ્છા એ પૃચ્છા જ ગણાશે. આપૃચ્છાસામાચારી ન ગણાય. તો કેટલાંક માયાવી સંયમીઓ એવા હોય કે નાની-નાની બાબતોમાં ગુરુને બધું પૂછે. જેમાં ગુરુની રજા છે મળવાની જ હોય એવા કાર્યો ગુરુને પૂછીને કરે. પરંતુ મોટા મોટા કાર્યો ગુરુને પૂછ્યા વિના કરે. કેમકે એ કે 8 કાર્યોમાં ગુરુની રજા ન મળવાનો કે પોતાની છાપ ખોટી પડવાનો ભય આ સંયમીઓને સતાવતો હોય છે. દા.ત. 8 * સંસારી ભાઈ-પિતા મળવા આવ્યા હોય તો સંયમી ગુરુને પૂછે કે “આ લોકો બહારગામથી આવ્યા છે. મારે 8 એમની સાથે વાતચીત કરી શકાય ?” ગુરુ તો લગભગ હા જ પાડવાના. ઉપરથી ખુશ થવાના કે “મારો શિષ્ય છે કેવો સંયમી, વિનયી છે. મને પૂછ્યા વિના પોતાના પિતાજી સાથે પણ વાતચીત નથી કરતો.” એમ ઠલ્લે- B છે માત્રુ, દેરાસર, સહવર્તી સાધુ પાસેથી મુહપત્તી લેવી વગેરે ઝીણી ઝીણી બધી બાબતો ગુરુને પૂછીને જ કરે છે 8 આના કારણે આ માયાવી સંયમીની છાપ એક વિનયી, સંયમી તરીકેની ગુરુના હૃદયમાં અને ગચ્છમાં પડે. પણ 8 આ સંયમી કો'કને ફોન-ફેક્સ કરાવવા હોય, કો'ક બહેનો સાથે વાતચીત કરવી હોય, ઘી-દૂધ વગેરે વસ્તુઓ છે છે વધુ પ્રમાણમાં વાપરવી હોય... તો આ બધા કાર્યો ગુરને પૂછ્યા વિના ખાનગીમાં જ પતાવે. આ સંયમી પણ છે મોટા કાર્યોમાં ગુરુને પૂછતો ન હોવાથી નાના કાર્યોમાં ગુરુને પૂછે તો પણ એ માત્ર પૃચ્છા જ ગણાશે. એ સંયમી છું આપૃચ્છાસામાચારીનો પાલક ન ગણાય. ઓ શિષ્ય ! શાસ્ત્રકારોએ માત્ર એક ‘આ’ શબ્દ મુકીને આપણા કેટલા બધા દોષોને પ્રગટ કરી દીધા છે! છે શું આપણી કેટલી બધી ભ્રમણાઓને ભાંગી નાંખી છે ! એટલે નાના કે મોટા તમામે તમામ કાર્યોમાં એ કાર્યો શરૂ કરતા પહેલા જ અત્યંત વિનયપૂર્વક ગુરુને છે આ પ્રશ્નવાક્ય સ્વરૂપે એ કાર્ય કરવા અંગે પૃચ્છા કરવી એ આપૃચ્છા સામાચારી કહેવાય. એમ નક્કી થયું. છે આ તો ‘આ’ શબ્દને લઈને સામાન્યથી વ્યાખ્યા બતાવી. આપૃચ્છા સામાચારીમાં મુખ્યત્વે ત્રણ બાબતો હોવી જોઈએ. (૧) એ આપૃચ્છા ગુરુને કરવાની છે. (૨) ગુરુ પ્રત્યેના ભક્તિભાવ રૂપ શુભ પરિણામ પૂર્વકની એ પૃચ્છા હોવી જોઈએ. (૩) જે આપૃચ્છા કરવાની છે. એ પોતાના આત્માને હિતકારી એવા જ કાર્યની કરવાની છે. આ ત્રણમાંથી એકપણ ન હોય તો આપૃચ્છા ન ગણાય. છે દા.ત. દેરાસર, ચંડિલ જતી વખતે નાના સાધુ કે મિત્ર સાધુ વગેરેને કહીને જઈએ કે “હું દેરાસર...જાઉં 8 જ છું.” તો એ આપૃચ્છા સામાચારી ન ગણાય. કેમકે એ સંયમીએ ગુરુને પૂછ્યું નથી. શું એમ ગુરુને પૂછે, બહારથી ખૂબ વિનયપૂર્વક પૂછે. પણ અંદર ગુરુ પ્રત્યે અરુચિ, અસદ્ભાવ, તિરસ્કારની # 8 લાગણી હોય. માત્ર કપટ, પોતાનું કામ કઢાવી લેવાની જ એક માત્ર ઈચ્છાથી ગુરુને પૂછતો હોય તો એ 8 આપૃચ્છાસામા. ન ગણાય. 8 તથા કોઈક સંયમી ગુરુને પૂછે કે, “અમુક સંયમીને આવતી કાલથી ઓળી કરવાની ભાવના છે. અમુક છે 8 સંયમીને પંડિતજી પાસે સંસ્કૃત શરૂ કરવું છે. અમુક સંયમી આજે આખા ગચ્છનું બધું પાણી લાવવા માંગે છે. હું તો એ તે પ્રમાણે કરે?” આ બધી પૃચ્છા એ પુછનાર માટે આપૃચ્છા ન ગણાય. કેમકે એણે તો બીજા સંયમીઓના છે છે હિતકારી કાર્યોની પૃચ્છા કરી છે. પોતાના હિતકારી કાર્યોની પૃચ્છા નથી કરી. EEEEE સંયમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૨૧૪

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278