________________
આપૃચ્છા સામાચારી
ચાતુર્માસાદિ માટે છૂટા મોકલવા પડે તો એવા સુયોગ્ય વડીલને સાથે મોકલવો જોઈએ કે બાકીના સંયમીઓ એ વડીલને બધું પૂછી-પૂછીને કરવા માટે ઉત્સાહી બને.
અને આપૃચ્છા કરનારાઓએ એ તૈયારી રાખવાની જ છે કે ગુરુ કે વડીલ તે કામ કરવાની ‘ના' પડે કે ફેરફાર કરવાની સુચના કરે તો એમના કહ્યા પ્રમાણે જ બધું કરવું. બાકી ગુરુ ‘ના' પાડે તોય બળજબરી, માયા વગેરે કરીને એમની પાસે ‘હા’ પડાવવી અને પછી જગત્માં કહેતા ફરવું કે ‘હું તો આ કામ ગુરુની રજાથી જ કરું છું' એ તો મહાભયંકર માયા છે. ગુરુ કે વડીલનો અંતરાત્મા જે ઈચ્છતો હોય તે જ પ્રમાણે વર્તવું એ સંયમીઓની ફરજ છે.
પણ એ માટે ગુરુઓએ અને વડીલોએ પણ એવા પરિપક્વ, સંયમી, જ્ઞાની, ગંભીર બનવું અત્યંત
આવશ્યક છે.
આપૃચ્છા સામાચારી સંપૂર્ણ
PB &g
Awan say
W
સંયમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૭ ૨૨૨