________________
આપૃચ્છા સામાચારી શિષ્ય : આપની બધી વાતો મને અક્ષરશઃ હૃદયમાં ઉતરી ગઈ છે. ગમે તેવા વિકલ્પો કરવા બદલ ક્ષમા
માગું છું. પણ ગુરુદેવ ! આ શ્વાસોચ્છ્વાસાદિ માટે ગુરુની રજા લેવી તો અશક્ય છે. દર સેકંડે એ તો ચાલુ જ છે. સેકંડે સેકંડે ગુરુને શી રીતે પૂછાય ? વળી છીંક-બગાસુ-ઓડકાર તો અચાનક આવે. એની પહેલેથી ખબર નથી હોતી. તો એ બધા માટે ગુરુને પૃચ્છા કરવી શક્ય જ નથી. તો શું કરવું ?
ગુરુ : “બહુવેલ સંદિસાહુ” ના આદેશો આ માટે જ છે. જે કાર્યો વારંવાર થયા કરતા હોય. અર્થાત્ જે કાર્યો ગુરુને પૂછીને કરવા શક્ય જ ન હોય તે બધા કાર્યોની રજા એકસાથે ગુરુ પાસેથી આ આદેશ માંગીને
લઈ લેવામાં આવે છે.
પણ માત્રુ જવું. ઉંઘવું વગેરે કાર્યો વારંવાર થતા હોય તો પણ એ ગુરુને પૂછી-પૂછીને કરવા શક્ય છે. તો એવા કાર્યો માટે ગુરુને પૂછવું જ પડે. ત્યાં બહુવેલનો આદેશ કામ કરતો નથી.
આ બધી વાતો તો કરી પણ છેલ્લી એક વાત તો એ જ છે કે ‘તમામ કાર્યોમાં ગુરુને પૂછવું એ જિનેશ્વરદેવોએ બાંધેલી મર્યાદા છે. તેઓની આજ્ઞા છે.' એટલે હવે એ આપૃચ્છા કરવાથી ગુરુ પાસેથી જાણકારી મળે કે ન મળે.... એ બધી વિચારણા જ કરવાની રહેતી નથી. આ આપૃચ્છા તો તીર્થંકરો અને ગણધરોએ બાંધેલી મર્યાદા છે. એનું ઉલ્લંઘન કદિ ન કરાય.
ઉપાધ્યાયજી તો લખે છે કે “આજ્ઞાયા: જ્ઞેશતોષ મઙ્ગઃ મહાનર્થહેતુઃ મતિ'' જિનાજ્ઞાનો લેશથી પણ ભંગ મોટા અનર્થોનું કારણ બને છે. એટલે આપૃચ્છાદિ સામાચારીના પાલનમાં અત્યંત અપ્રમત્ત બનવું જોઈએ.
રે ! આ ‘બહુવેલ સંદિસાહુ'ના આદેશ માંગવાના કહ્યા છે. એની પાછળ આ જ ઊંડું રહસ્ય છે કે શ્વાસોચ્છ્વાસાદિ કાર્યો પણ ગુરુને પુછીને જ ક૨વાની જિનેશ્વરોની આજ્ઞા છે. હવે જો એ આજ્ઞાનું પાલન ન કરીએ તો મોટા અનર્થો થાય અને સેકંડે સેકંડે શ્વાસોચ્છ્વાસાદિ માટે પૃચ્છા કરવી પણ શક્ય નથી. એટલે પછી મહાપુરુષોએ સાધુઓને આજ્ઞાભંગથી બચાવવા, તેના દ્વારા થનારા મોટા અનર્થોથી બચાવવા માટે જ આ બહુવેલ... ના આદેશની વ્યવસ્થા ગોઠવી. (આ વ્યવસ્થા દ૨ેક તીર્થંકરના શાસનમાં પહેલેથી જ હોય છે. કેમકે આ દરેક તીર્થંકરોની સામાન્ય આજ્ઞા છે.)
એટલે હવે ભલે આપૃચ્છા સામાચા૨ી ક૨વામાં કદાચ બીજા કોઈપણ લાભ ન થતા હોય તો પણ જો એનું પાલન નહિ કરો તો આજ્ઞાભંગ અને તેના દ્વારા દુર્ગતિ વગેરે મોટા અનર્થો તો થવાના જ. એટલે હવે લાભ મેળવવા માટે નહિ, પરંતુ આ બધા નુકશાનોથી બચવા માટે પણ તમામ સંયમીઓએ આપૃચ્છાસામા. પાળવી જ જોઈએ.
પણ શિષ્ય ! સાવ સહેલી લાગતી એવી આ સામાચારી દીર્ઘસંસારીઓ માટે ઘણી જ કપરી છે. જેઓ સ્વચ્છંદી હશે, ઐહિક સુખોમાં લપેટાયેલા હશે, ફોન-ફેક્સ-પત્રિકાદિ અસંયમમાં ખુંપ્યા હશે, ગુરુઓ પ્રત્યે બહુમાન વિનાના હશે, પોતાના વિદ્વત્તાદિગુણોના અહંકારવાળા હશે, તદ્દન સ્થૂલદષ્ટિવાળા હશે તેઓ આ બધું જાણ્યા પછી પણ, પોતાના ગુરુ કે વડીલ વિદ્યમાન હોવા છતાં પણ બધા જ કાર્યો એમને પુછી-પૂછીને કરવા માટે કદિ તૈયા૨ નહિ થાય. તેઓની ભાવકરૂણા ચિંતવ્યા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
વર્તમાનકાળમાં ગુરુ સાથે ન હોય, ગુરુથી જુદા વિચરતા હોઈએ ત્યારે પણ દરેક સંયમીઓએ પોતાના વડીલ સંયમીને ગુરુ તરીકે માની એમને પુછી-પુછીને જ બધા કાર્યો કરવા જોઈએ. ગુરુઓએ પણ શિષ્યોને
સંચમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૦ ૨૨૧