Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 576
________________ અકબર પાદશાહ-ગુજરાતમાં રાજ્ય સ્થાપના પ૦૫ લશ્કર પૂરું પાડતા. કચ્છ ભુજના રાવનું લશ્કર દશ હજાર અશ્વાર અને પચાસ હજાર પાયદલનું હતું; તેઓ ઉંચા અને દેખાવડા હતા તથા લાંબા કાતરા રાખતા. જામ “સત્તરસાલ” કચ્છ ભુજના રાજવી કુટુંબને સગે થતું હતું, તે રાવલજીનો પત્ર થતું હતું, તેને રાવે સાઠ વર્ષ પહેલાં તે દેશમાંથી હાંકી કુહાડ્યો હતો, તે સેરઠમાં ચટવા, બદહીલ અને નવની લના પ્રદેશની વચ્ચેના એક ફળદ્રુપ દેશમાં વચ્ચે હતું અને તેનું નામ તેણે નાનું કચ્છ” (હાલાર) કરીને પાડયું હતું તેમાં તેણે તેનું રાજધાની શહર નવાનગર વસાવ્યું હતું. જામની ફેજને કરાર સાત હજાર અશ્વાર અને આઠ હજાર પાયદળને હતે. મિરાતે અહમદીમાં લખ્યું છે કે, નવાનગરના જામે એક વેળાએ અમદાવાદના છેલ્લા સુલ્તાન, ત્રીજા મુઝફફરને આશ્રય આપે હતો, પણ છેવટે તેણે દગો કરીને તેના શત્રુઓને સ્વાધીન કર્યો. ઈસ. ૧૫૯૦માં મુઝફર અને જામને ખાન અઝીઝ કેકાએ હરાવ્યા તેથી તેઓને ડુંગરામાં સંતાઈ પેસવાની અગત્ય પડી. આ જિત થયા પછી સૂબાએ નવાનગર લૂંટયું અને જૂનાગઢને ઘેરે ઘાલે, તે વેળાએ, ત્રીજા મુઝફરના સાથિયેએ તેનું રક્ષણ કર્યું તેથી તેનું કાંઈ ચાલ્યું નહિ, એટલે તે અમદાવાદ પાછો જતો રહ્યો, તેવામાં ઈતિહાસકર્તા લખે છે કે, અમને એક વાર તેમની પિતાની જાગીર ઉપર શાન્તપણે રહેવાને છૂટી આપી. બીજે વર્ષે જૂનાગઢ, સૂબાના હાથમાં આવ્યું, અને સુઝફફર શાહ નાશી જઈને કચ્છના રાવ ખેંગારજીને આશરે જઈને રહ્યો; તેને તેણે આશ્રય આપો. અઝીઝ કોકાએ પિતાના દીકરાને ફેજ આપીને તેની પછવાડે મોકલ્યો. તે રસ્તે જતા હતા તેવામાં જામ તેને સ્વાધીન થયે, અને તેની સાથે સલાહ કરી, ત્યાર પછી નિરાશ્રય સુલ્તાન, જામના આશ્રયથી પકડાયે, તેને બદલે તેને તેનું આગળનું મોરબી પ્રગણું હતું તે ઇનામમાં મળ્યું. ગુજરાતની પૂર્વ સીમા ઉપર જે રજપૂતનાં સંસ્થાન આવેલાં તેનું અબુલ ફજલે કરેલું વર્ણન નીચે પ્રમાણે છે,–“મેરવ અને મંત્રીચની પાસે “એક દેશ છે તે પાલ કહેવાય છે, તેની વચ્ચે મેહીંદરી નદી વહે છે. આ ૧ પૃષ્ઠ ૪૭૪ મે આપેલી જાડેજાની વંશાવળીના ૧૧ માં રાજા રાવ ખેંગારજી પહેલાએ જામ રાવળજીને કચ્છમાંથી નસાડ્યા તેણે ઈ. સ. ૧૫૩૯ માં નવાનગર વસાવી ગાદી સ્થાપી. તે પછી તેનો કુંવર વીભેજી (ઇ. સ. ૧૫૬૨-૧૫૬૯) થયો. તે પછી તેને કુંવર જામ સતાજી ઉર્ફે સત્તરસાલ (ઇ. સ. ૧૫૬૯ થી ૧૬૦૭) થયે. ૨. ઉ. ૨ તે સમયે મહારાવ ભારમલજી ગાદીપતિ હતા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642