Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 622
________________ ઈડરના રાવ ૫૫૧ છેલ્લી લીટીમાં પૂજે લખે છે તે રાવ જગન્નાથને દીકરો થતો હતો, તે મુસલમાન ઉપર બહારવટે નીકળ્યો હતો. તે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ખરેખાત મુસલમાનેથી ઈડરગઢ પિતાને કહેવાય નહિ. गीत-रावे रेहेंच्या पठाण पडे रण, ईडरिये दळ आणी; તર! વાવ! નિપાવત', કે પાછું વાળી. पूंजेजी खळ खेत पछाड्या, तणेरी नहि तबीबी कंत तणे दख भांगिये कांकण, बूम करे मुख बीबी. जोध जडे कमधजे जणांरे, खार्ग रोहिला बाया; मेली धाह दिये मुगलाणी, नाव किसीका ना'या. રાવ જગન્નાથ ઈડરથી નાઠે તે પળે જઈ રહ્યો અને ત્યાં પછી તરત જ મરણ પામે. મુરાદ શાહે ઈડર લઈને સૈયદ હાથા નામના મુસલમાની સરદારને અધિકારી ઠરાવીને ત્યાંના પ્રધાનને કારભાર ઉપર રહેવા દીધા અને પિતે પાછા ગયે. ત્યાર પછી સૈયદ હાથાએ રાવનાં આપેલાં શાસન પાછો ખેંચાવી લીધાં, તે ઉપરથી ભાટ અને ચારણે પોતપોતાનાં ગામડાં છેડીને માલપુરના ઠાકરને આશરે જઈને રહ્યા, તેઓનું તેણે રક્ષણ કર્યું ૧ રાત દહાડે. ૨ બૂમ અથવા નિશ્વાસ મૂકવે. ૩ રણભૂમિ. ૪ તેની. ૫ રાઠોડ રજપૂત. ૬ ખ, તરવાર. ૭ મેગલ. ૮ આ રાવના ઉપર કવિતા થયેલી છે તેને પ્રારંભ નીચે પ્રમાણે થાય છે. જગ બાળ્યું જગત્રાથિયે, નીચ કલ્યાણ સુત.” જે ભાટ અમારા (ફારબસ) આગળ એ કવિતા બોલતા હો, તેણે અદબ કરવાને હાથ હંયા કયા હતા તે ઉપરની બે તુક બાલ્યા પછી પાછા પડ્યા, તેની ડેક તેની છાતી ઉપર નમી ગઈ, તેની આંખ્યામાં આંસુ ભરાઈ ગયાં, અને ગળગળો થઈ બોલવા લાગ્યોઃ “મારે રાવજીનું વાંકે શું કરવાને બેસવું જોઈએ ?” આ વેળાએ અને ત્યાર પછી પણ કેટલીક વાર તેને એ પૂરી કરવાને કહ્યું પણ તેણે કરી જ નહિ. નીચે પ્રમાણે એ કવિતા કેટલાક ભાટ બેસે છેઃ જળ ખાયું જગનાથિયા, કલાતણ કપૂત; વટલાવ્યા બ્રાહ્મણ વાણિયા, રખડાવ્યા રજપૂત. ૨. ઉં. ઈડરગઢના ઓળગ, સાંસનું દે સુખદાય; વિસામે દે વાન્ડા, માલપરા ઘરમાંય. ભાટે કહ્યું કે, અમે ઈડરગઢના આશ્રિત ળેિ, માટે અમને તે સુખદાયક ગામ આપ. હે વાંકા! અમને માલપરા ધરતીમાં વિસામો આપો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642