Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 583
________________ ૫૧૨ રાસમાળા “ઉઘાડી રીતે કહો કે રાવ તમારા ઉપર ચડ્યા છે, અને તમે તેમની સાથે લડવાને તૈયાર થઈ રહેજે.” ઠાકોરે જઈને તે પ્રમાણે જાણ કરી અને રાવળે. પિતાના તાબાના ઠાકરેને લાવ્યા અને લડવાને તૈયાર થઈ રહ્યા, પછી વીરમદેવને માણસ મોકલાવીને કહેવરાવ્યું કે, “તમને ફાવે ત્યારે લડવાને આવજે. અમે તૈયાર છિયે.” રાવ જ્યાં મેલાણ કરીને રહ્યા હતા ત્યાં આઠ દિવસ સુધી રહ્યા, અને પછી ડુંગરપુરની પાસે આવી પહોંચ્યા, એટલે બંને બાજુવાળાઓએ તપ ચલાવીને લડાઈને આરંભ કર્યો. વીરમદેવે ડુંગરપુરના કિલ્લાને અને મહેલને ઘણે ખરે ભાગ તોડી પાડ્યો, તે આજ સુધી તેવી જ ભાગી તૂટી અવસ્થામાં છે. આ પ્રમાણે દશ દાફડા ફાડ્યા પછી, રાવે માણસ અને ઘેડાઓને કવચ પહેરાવીને મારો ચલાવ્યું. તે સમયે બને બાજુનાં સો સો માણસો મુવાં. રાવળ પિતાના કુટુંબ સહિત હાશી ગયો અને રાવ ડુંગરપુરમાં સાડા ત્રણ દિવસ સુધી રહ્યો, અને શહર લુટયું તથા જેટલું મળે એટલે બધો ખજાને લઈને ઈડર પાછા આવ્યા. જ્યારે તે ગયો, ત્યારે રાવળ ડુંગરપુરમાં પાછા આવ્યા. ત્યાર પછી, પાદશાહનું લશ્કર ઉદયપુર ઉપર ચડીને આવ્યું, અને રાણા પ્રતાપસિંહ વિંછવાડે હાશી ગયે. (આ વિંછવાડા પાનેરા પાસે છે તે). ઉદયપુરના રેણુ બાપથી તે દીકરા સુધી એકેએક પાદશાહની ઉપર હારવટે નીકળતા હતા, અને તે પાદશાહે ચિતેડના દરવાજાનાં કમાડ કુહાડી લીધાં હતાં, તે દિલ્હીના દરવાજાને બેસાડ્યાં હતાં; આમ બાવન રાણા માર્યા ગયા હતા અને તેઓ તેમની આપત્તિની વેળામાં રાત્રે ભોંય ઉપર લૂગડું પાથરીને સૂતા, પલંગે પિતા નહિ, હજામત કરાવતા નહિ, અને ખાતા તો માટીના વાસણમાં કુકા રાંધીને ભૂખ નિવારણ કરવાને ખાતા હતા. આ કારણને લીધે હજીસુધી ઉદયપુરમાં એ પ્રમાણે કરવામાં આવે છે; રાણુંના પાથરણું નીચે લૂગડું પાથરવામાં આવે છે; તે દાઢી મૂંડાવ્યા વગરની રાખે છે, અને તેના ભાણુમાં નિત્યે બાફેલા થોડા કુસ્કા મૂકવામાં આવે છે, આજે પણ ચિતડના દરવાજાને નવાં કમાડ કરાવવામાં આવ્યાં નથી, અને જ્યારે અંગ્રેજ સરકારે રાણુને કહ્યું કે, તમે નવાં કમાડ કરાવો, અથવા જે તમારી મરજી હોય તો તમારાં જૂનાં કમાડ મંગાવી લ્યો; ત્યારે તેણે જવાબ દીધો કે, હથિયારના જોરથી રાણો દિલહીથી જ્યારે કમાડ પાછી લાવશે ત્યારે કરીને બેસાડશે. ૧ મેવાડના રાણા પ્રતાપસિંહની વાત વિષે દાદ રાજસ્થાનના પુસ્તકના ૧ લા ભાગને પૃષ્ઠ ૩૩૧ થી ૩૫૦ સુધી મેવાડના ઇતિહાસનું અગિયારમું પ્રકરણ છે તે . આ ગ્રંથના . . ભગુભાઈ ક. કારભારીએ કરેલાં ગુજરાતી ભાષાન્તરને પુષ્ટ ૩૧૨૩૨૭ માં જુવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642