Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 20
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! ૧૯ ૨૦ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! પૂછવા ના આવો ને તમારા પરિણામ બધાં બદલાઈ જાય, એના કરતાં તમે ઉપકાર માનજો, દાદાનું કહ્યું એટલું કરજો કે એનો ઉપકાર છે ભઈ, આ દાદાએ કહ્યું છે માટે. પ્રશ્નકર્તા : દાદા ઉપકાર માનતા હોય પછી અમે ઉપકાર માનીએ એમાં શું વાંધો પછી ! નહોતો. એટલે આપણે પછી સામાનો દોષ કાઢીએ છીએ કે તું મને આવું કેમ બોલે છે ? તર્કટ આપણે ઊભું કર્યું અને પછી કહીએ આમને કે, તું અમને આવી ગાળ કેમ આપે છે ? ત્યાર પછી કોઈ કહેશે, અલ્યા, એણે ગાળ દીધી, પણ તું એવું કહેને, ‘તું રાજા છે.' ત્યારે એમ કહેશે, ‘તું રાજા છે” બસ. આ તો બધું પ્રોજેક્શન આપણું જ છે. અલ્યા, લે બોધપાઠ આતાથી ! દાદાશ્રી : હા, આપણે એવો હિસાબ લેવો કે ‘સારુંને, ચોર એકલા કહે છે.’ લુચ્ચો છે, બદમાશ છે, નાલાયક છે એવું બધું નથી કહેતા. એટલો સારો છેને ? નહીં તો એનું મોટું છે. એટલે ફાવે એટલું બોલે. એને કંઈ ના કહેવાય આપણાથી ? આપણે ઉપકાર માનવાનો. ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં. સમજ પડીને ? લોકો મને કહે છે કે ‘તમારે તમારા દોષો કહેવાની શી જરૂર ? ફાયદો શો ?” મેં કહ્યું, ‘તમને બોધપાઠ આપવા માટે કે તમને આવી હિંમત આવે. હું બોલું છું તે તમને હિંમત કેમ ના આવવી જોઈએ ? હંમેશા જે દોષ થયોને તે ખુલ્લો કરે તો મન પકડાઈ જાય. પછી મન ડરતું રહે કે આ તો ઊઘાડું કરી દેશે, ઊઘાડું કરી દેશે. ઊલટું આપણાથી ડરતું રહે. આ તો બહુ ભલા માણસ છે. ઊઘાડું કરી દેશે. અમે તો કહી દીધું કે અમે બધું ઊઘાડું કરી દઈશું. ઓપન ટુ સ્કાય (ખુલ્લે આમ) કરી નાખીશું. ત્યારે બધા દોષ જતા રહ્યા. ત્યારે વિલય થઈ જાય.’ ભૂલ ભાંગવાતી રીતિ... તમારે કેટલી ભૂલો થતી હશે ? પ્રશ્નકર્તા : બે-ચાર-પાંચ થઈ જાય. આ વાત સૈદ્ધાંતિક છે. કેવી રીતે કે તમે મને કહો કે, ‘દાદા, આ પેલો તમને ‘ચોર’ કહે છે. તો તમે શું કરો ?” ત્યારે હું કહું કે, ‘ભઈ, ઉપકાર માનવો.’ કેમ કહે છે, ઉપકાર માનો તમે ? શા બદલ ? ત્યારે કહે છે, કોઈ કહે નહીં આવું. આ પડઘો છે કશાકનો, તે મારો પોતાનો જ પડઘો છે. માટે ઉપકાર માનું. આ જગત પડઘા સ્વરૂપે છે. એની હડ પરસન્ટ ગેરન્ટી લખી આપુ છું. એટલે અમેય ઉપકાર માનીએ તો તમારે ય ઉપકાર જ માનવો જોઈએ ને ! અને તમારું મન બહુ સારું રહેશે. ‘ચોર કહે છે' તેનો ઉપકાર માને છે. નહીં તો પછી તમને સહેજે લાગણી થઈ જાય કે, દાદા માટે આવું બોલે છે ?! મહાવીર માટે આવડાં આવડાં શબ્દો બોલતા હતા તો ય લોકોએ પચાવ્યા. એમના ભક્તોએ બધાએ પચાવ્યા એમના શબ્દો. જે જે બોલે એ બધું પચાવી લેતા હતા. ભગવાને શીખવાડેલું એવું. ‘આ’ તર્કટ કરનાર “તું” જ ! પ્રશ્નકર્તા : એટલે જગત નિર્દોષ છે એ સમજવાની દ્રષ્ટિ હવે કેળવવી પડેને ? દાદાશ્રી : એટલે આ વાતને આપણે જો ના બોલ્યા હોય તો ડખો જ દાદાશ્રી : કોણ ન્યાય કરનારું ? આ ભૂલ છે એવું ન્યાય કરનારું કોણ ? પ્રશ્નકર્તા : નુકસાન આવે ત્યારે લાગે કે ભૂલ કરી છે. દાદાશ્રી : ત્યારે ખબર પડે, નહીં ? પણ ન્યાય કરનાર કોણ આમાં ? ભૂલ કરનાર માણસ ભૂલ કબૂલ ના કરે એકદમ. ન્યાય કરનાર માણસ કહે કે આ તારી ભૂલ છે તો વળી સમજાય. તો કબૂલ કરે, નહીં તો કબૂલ ના કરે. ભૂલ કોઈ કબૂલ ના કરે આ દુનિયામાં અને જો સમજણ પડે તો કબૂલ કરે. એને શૂટ ઓન સાઈટ (દેખો ત્યાંથી ઠાર) કરવું જોઈએ. નહીં તો ભૂલ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77