Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 58
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! અમારે આત્મા પ્રગટ નહોતો થયો ? દાદાશ્રી : થયો'તો. પણ તે ધીમે ધીમે આ ભૂલો દેખાય એવું હું કરતો હતો, આવરણ તોડતો હતો. ૯૫ જેટલાં દોષ ઉત્પન્ન થાય છે એટલાં દોષ દેખાયા સિવાય જાય નહીં, જો દેખાયા સિવાય ગયો તો આ અક્રમ વિજ્ઞાન ન હોય. એવું આ વિજ્ઞાન છે. વિજ્ઞાન છે આ તો ! દોષો પ્રતિક્રમણથી ધોવાય. કોઈની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલો રહે. પાંચસો-પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે. પ્રશ્નકર્તા : પણ દાદા, આ જ્ઞાન લીધા પછી આપણી જાગૃતિ એવી આવે, આપણા પોતાના દોષ દેખાયને, ખૂબ બધા પાપો દેખાય અને તેનો ગભરાટ થાય. દાદાશ્રી : તેનો ગભરાટ રાખવાથી શું ફાયદો ? દેખનાર, હોળી જોનારો માણસ દાઝે ખરો ! પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : હોળી દાઝે, પણ હોળી જોનારો કંઈ દાઝે ! એ તો ચંદુભાઈને થાય, ત્યારે ખભો થાબડવો કે ભઈ, થાય છે બા. કર્યો છે તે થાય, કહીએ. પ્રશ્નકર્તા : પણ તે ગરમી લાગે ને દૂરથી હઉં, દાદા ! દાદાશ્રી : હા, લાગે, લાગે. પ્રશ્નકર્તા ઃ એટલાં બધાં પાપો કરેલાં દાદા, ક્યારે છૂટકારો મળે એમ થાય ! દાદાશ્રી : હા, એ હિસાબ વગરના, પાર વગરના દોષો કરેલા ! પ્રશ્નકર્તા : અને એ જ્યારે દેખાય ત્યારે એમ થાય, કે આ દાદા નહીં F નિજદોષ દર્શનથી... નિર્દોષ ! મળ્યા હોત તો અમારું શું થાત ! દાદાશ્રી : પાપ પોતાનું દેખાયું ત્યારથી જ જાણીએ કે આપણી કઈ ડિગ્રી થઈ ! આ જગતમાં કોઈ પોતાનું પાપ જોઈ શકે નહીં. કોઈ દહાડો દોષ જોઈ શકે નહીં. દોષ જુએ તો ભગવાન થાય. પ્રશ્નકર્તા : વહુના, કોઈના દોષો ના દેખાય એવું કરો. દાદાશ્રી : ના, દોષો તો દેખાય બળ્યા, એ દેખાય છે તેથી તો આત્મા જ્ઞાતા છે ને પેલું જ્ઞેય છે. પ્રશ્નકર્તા : પણ દોષો દેખાય નહીં એવું ના થાય ? દાદાશ્રી : ના, ના દેખાય તો તો આત્મા જતો રહે. આત્મા છે તો દોષ દેખાય છે, પણ દોષો નથી, શેય છે એ. વીતરાગોની નિર્દોષ દ્રષ્ટિ ! વીતરાગોની કેવી દ્રષ્ટિ ! શું દ્રષ્ટિએ એમણે જોયું કે જગત નિર્દોષ દેખાયું !! હૈં સાહેબ !! આપણે વીતરાગોને પૂછીએ કે સાહેબ, તમે તો કેવી, કંઈ આંખે એવું જોયું તે આ જગત તમને નિર્દોષ દેખાયું ? ત્યારે એ કહે, “એ જ્ઞાનીને પૂછજો. અમે તમને જવાબ આપવા ના આપીએ.' ડીટેલમાં વિગતવાર જ્ઞાનીને પૂછજો. મેં જોયું એ એમણે તો જોયું પણ મેં ય જોયું એ ! પ્રશ્નકર્તા : એટલે દાદા, નિર્દોષ જાણવા, નિર્દોષ ગણવા નહીં એમ ? અને દોષિત જાણવા એમ ? દાદાશ્રી : આપણા જ્ઞાનમાં દોષિત નહીં, નિર્દોષ જ જાણવા. દોષિત કોઈ હોતો જ નથી. દોષિત ભ્રાંત દ્રષ્ટિથી છે. ભ્રાંત દ્રષ્ટિ બે ભાગ પાડે છે. આ દોષિત છે ને આ નિર્દોષ છે. આ પાપી છે ને આ પુણ્યશાળી છે. અને આ દ્રષ્ટિએ એક જ છે કે નિર્દોષ જ છે. અને તે તાળાં વાસી દીધેલાં. બુદ્ધિને એ બોલવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિને ડખો કરવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિબેન ત્યાંથી પાછાં ફરી જાય કે આપણું હવે ચાલતું નથી. ઘેર ચાલો. એ કંઈ ઓછી

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77