Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
વ્યાકુલ થવું. સાધુ શ્રાવકનું સુખ મોક્ષ અને દુઃખ સંસાર. આ સર્વ બાબતનો બુદ્ધિશાળી પુરુષો આગમથી નિશ્ચય કરે છે. ૪૧૫
૧૫૪
શ્રદ્ધા સંવેગને પામેલાં, દુઃખોથી ભયભીત બનેલાં પ્રાણીઓ આગમમાં જણાવેલ ઉપાયોને આચરી ઉપેય એવા પરમપદને પામે છે. જરા
તેથી આ આગમ દુઃખથી બળેલાં પ્રાણિઓને શરણરૂપ છે. આ માત્ર શરણરૂપ છે. એટલું જ નહિં પણ આલમ્બન રૂપે પણ છે. તે માટે ઉત્તરાર્થ કહે છે....
भवकूवे पडंताणं एसो आलंबणं परं ||४३||
સંસાર કુવામાં ડુબતાં પ્રાણિઓને બહાર નિકળવા માટે આગમ દોરડા સમાન છે.
एसो णाहो अणाहाणं सव्वभूयाण भावओ । भावबंधू इमो चैव सव्वसोक्खाण कारणं ॥ ४४ ॥
અનાથ એવા સર્વ જીવોને આ આગમ પરમાર્થથી નાથ છે જેમ માલિક આશ્રિતનું રક્ષણ કરે છે. તેમ આગમ અહિંસાનું પ્રતિપાદન કરનાર વાક્યનાં આદેશથી/ઉપદેશથી સર્વ જીવોનું રક્ષણ કરે છે. અને સર્વ સુખોનું કારણ હોવાથી આ જ પરમાર્થથી ભાઈ છે.
જેમ કહ્યું છે કે.. જેમ ભાઈ સારી શિક્ષા આપવા દ્વારા સુખનું કારણ બને છે તેમ આગમ જ્ઞાનાદિ આપવા દ્વારા શિવસુખનું કારણ બને છે.૪૪૫ આગમ દીવડા સમાન છે; તે ગાથાથી બતાવે છે.
अंधयारे दुरुत्तारे धोरे संसारचाए ।
एसो चेव महादीवो लोया - ऽलायावलोयणो ॥ ४५ ॥
અંધકારમય, દુઃખે નિકલી શકાય એવાં ભયંકર સંસારરૂપી કારાવાસમાં મોટા દીવડા ની જેમ આ આગમ સર્વ પદાર્થને પ્રકાશિત કરનાર છે. ૪૫
આગમ આંખ છે તેના માટે ગાથા કહે છે.