Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ૨૩૮. ઘુવડ અને કાગડા દુર્યોધનને મૃત્યુના સમાચાર સાંભળતાં સાંભળતાં જે કેટલાક વિચારો ધૃતરાષ્ટ્રને આવે છે તેમાં એક આ છે: कथं राज्ञः पिता भूत्वा स्वयं राजा च संजय । प्रेष्यभूतः प्रवर्तेयम् पांडवेयस्य शासनात् ।। “હું જે એક વખતે રાજાને પિતા હતા, અને જે જાતે પણ રાજા હતા, તે હવે પાંડવો તથા તેમના સંતાનની આજ્ઞામાં વર્તનારો ચાકર શી રીતે થઈ શકીશ?” “ જેણે એકલે હાથે મારા પુત્રોને સંહાર્યા, એ ભીમનાં વચનને (મેણાટોણાને) હું શી રીતે સાંભળી શકીશ, સહી શકીશ?” પુત્રના મૃત્યુને ધૃતરાષ્ટ્રને એટલે બધો શક નથી, એટલે એ મૃત્યુને પરિણામે સરજાનારી એની પિતાની અવદશાનો છે! ધૃતરાષ્ટ્રની પુત્રવત્સલતા એ તો કેવળ એક ઢાલ છે, એની અહં-વત્સલતાને સંતાડવાની ! આ વાત પહેલાં પણ અનેક વખત કહેવાઈ ગઈ છે. - અને છતાં, ધૃતરાષ્ટ્રને હજુ આશા છેઃ હજુયે સંપૂર્ણ પણે હતાશ નથી . પેલા ત્રણ- અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા – હજુ જીવતા છે. અંતિમ શય્યા પર સૂતેલા દુર્યોધન સમક્ષ અશ્વત્થામાએ પ્રતિજ્ઞા લીધી છે, પાંડવનાશની. એટલે સ્વાભાવિક રીતે જ ધૃતરાષ્ટ્રને એ ત્રણની હિલચાલમાં રસ છે. અને સંજય એનું એ કુતૂહલ શમાવે છે. યુદ્ધભૂમિથી બહુ દૂર નહિ, એવે એક સ્થળે એ ત્રણ પહોંચ્યા. ત્યાં તેમણે એક ઘોર વન દીઠું, થોડોક વખત તેમણે ત્યાં આરામ લીધે. અન્યોને જળપાન કરાવીને છેડીક વિશ્રાન્તિ આપી. પછી તેઓ એ ભયાનક વનમાં પ્રવેશ્યા, ત્યાં તેમણે એક ચોધ વૃક્ષ દીઠું, ઘેરી ઘટાવાળા એ વૃક્ષ નીચે રાત્રિ ગાળવાને તેમણે નિશ્ચય કર્યો. રથમાંથી ઊતરી, ઘેડાઓને છુટ્ટા કરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 238