________________
नहि दैवेन सिध्यन्ति कार्याण्यकेन सत्तम। .
न चापि कर्मणैकेन द्वाभ्यां सिद्धस्तु योगतः । એકલા દૈવથી જ કાર્યો સિદ્ધ થતાં નથી; એકલા કમથી (પુરુષાર્થથી) પણ નહિ. બન્નેના સમન્વિત યોગથી જ બધું સિદ્ધ થાય છે.
अदान्तो ब्राह्मणोऽसाधुः निस्तेजाः क्षत्रियोऽधमः ।
अदक्षो निन्द्यते वैश्यः शूद्रश्च प्रतिकूलवान् ।। જેનામાં દમન (ઈન્દ્રિયનિગ્રહ) નથી એવો બ્રાહ્મણ દુષ્ટ છે; જેનામાં તેજ નથી, એ ક્ષત્રિય અધમ છે; દક્ષતા વગરને વૈશ્ય અને હંમેશા આડેડાઈ કરનારે શક નિન્દાપાત્ર છે.
शुश्रुषुरपि दुर्मेधाः पुरुषोऽनियतेन्द्रियः ।
नालं वेदयितुं कृत्स्नी धर्मार्थाविति मे मतिः ॥ કુબુદ્ધિયુક્ત અને સ્વચ્છંદી ઇન્દ્રિયવાળો પુરુષ અભ્યાસપરાયણ હોય તો પણ ધર્મને કે અર્થને સંપૂર્ણપણે પામી શકતો નથી.
न हि प्रमादात् परमस्ति कश्चिद् वधो नराणाम् इह जीवलाके । प्रमत्तमर्था हि नरं समन्तात्
त्यजन्त्यनाश्च समाविशन्ति ॥ આ જીવલોકમાં પ્રમાદના કરતાં મોટું કોઈ મૃત્યુ નથી. પ્રમત્ત નરને બધી જ હિતકર વસ્તુઓ ત્યાગ કરે છે અને બધા જ અનર્થો એને ઝડપી લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com