________________
આસ્વાદથી શ્રોતાનું ચિત્ત આક્ષિત રહે છે. શ્રોતાના ચિત્તને આક્ષિમ બનાવવાનું કાર્ય આક્ષેપણી સ્વરૂપ પ્રથમ ધર્મકથાનું છે. I૯-પા
જેના કારણે આપણીધર્મસ્થાના ચાર પ્રકાર જણાવ્યા છે, તે આચારાદિ ચારનું સ્વરૂપ જણાવાય છે – क्रिया दोषव्यपोहश्च, संदिग्धे साधुबोधनम् । श्रोतुः सूक्ष्मोक्तिराचारादयो ग्रन्थान् परे जगुः ॥९-६॥
દિયા; દોષ દૂર કરવા; સંશયાન્વિતને સારી રીતે સમજાવવું અને શ્રોતાને સૂક્ષ્મ ભાવોને જણાવવા; તેને અનુક્રમે આચાર, વ્યવહાર; પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ કહેવાય છે. બીજા આચાર્યભગવંતો તે તે ગ્રંથોને આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ કહે છે.''-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે મોક્ષસાધક ધર્મની પ્રત્યે શ્રોતાનું ચિત્ત આકૃષ્ટ બને : એ માટે કરાતી પ્રથમ ધર્મસ્થામાં મુખ્યપણે પૂ. સાધુભગવંતોના આચારોનું વર્ણન કરાય છે. જગતના જીવોને જોવા અને સાંભળવા પણ ન મળે એવા પૂ. સાધુભગવંતોના ઉત્કટ આચારોનું વર્ણન આ આચારકથામાં કરવામાં આવે છે. લોચ કરવો; દેશથી કે સર્વથા ક્યારે પણ સ્નાન ન કરવું અને નિરવઘ રસ-કસ વગરની
ટિટિDિM\DEE/NEED A DE
E