Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ કરે તો તે શ્રોતાઓ માટે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારી બનતી ન હોવાથી તે અમોઘ નથી બનતી, નિષ્ફળ જાય છે. I૯-ળા આક્ષેપણીથા જેને લઈને અમોઘ-સફળ બને છે; તે જણાવાય છે - विद्या क्रिया तपो वीर्य, तथा समितिगुप्तयः । आक्षेपणीकल्पवल्ल्या मकरन्द उदाहृतः ॥९-८॥ “વિદ્યા, દિયાં, તપ, વીર્ય તેમ જ સમિતિ અને ગુણિઓઆક્ષેપણી સ્વરૂપ કલ્પવેલડીના રસ તરીકે વર્ણવી છે.” આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. ધર્મસ્વરૂપ કલ્પવૃક્ષની વેલડી સ્વરૂપ આક્ષેપણીકથા છે. તે વેલડીના રસ વિદ્યા, ક્યિા અને તપ વગેરે છે. એ વિદ્યાદિ સ્વરૂપ રસને ઉત્પન્ન કરવાથી જ આક્ષેપણ ક્યા ફળવતી છે. અન્યથા વિદ્યાદિનું કારણ એ થા ન બને તો તે નિષ્ફળ મનાય છે. શ્રોતાને વિદ્યા વગેરેની જેનાથી પ્રાપ્તિ ન થાય તે થા નિરર્થક બને છે. વિદ્યા; જ્ઞાનને કહેવાય છે. અત્યંત અપકાર કરવાના સ્વભાવવાળું એવું જે ભાવતમ(અજ્ઞાન) છે, તેના નાશને કરનારું જ્ઞાન છે. આમ તો જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. અહીં વર્ણવેલું તેનું સ્વરૂપ યાદ રાખવું જોઈએ. અજ્ઞાન

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66