Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 15
________________ દ્રવ્યાનુગ [૧૫] જીવન શરીરે – મનુષ્ય જેમ જુનાં વસ્ત્રોને તજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ જેવો સ્વકર્માનુસાર નીચે જણાવેલા શરીરમાં પ્રવેશ-નિર્ગમન ૩૫ વ્યાપાર કરવા માંડે છે, તેનાં નામે – | (સૂક્ષ્મ અને બાદર) પૃથ્વીકાય, અપકાય, તેજસુકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાય તથા પ્રત્યેક વનસ્પતિકાય, ઠીંદિય, ત્રીદિય, ચતુરિંદ્રિય તથા (ચેંદ્રિય) નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતા. ચૌદ રાજલકમાં સાત વર્ગણાઓ (પુગલ પરમાણુઓના સાત વર્ગ) ચર્મચક્ષુથી અગોચરપણે રહેલી છે તે આ પ્રમાણે– દારિક, વૈક્રિય આહારક, શ્વાસે શ્વાસ, તેજસ, મન, ભાષા અને કાશ્મણ કાર્મણ વર્ગણ સર્વ કરતાં અત્યંત સૂક્ષ્મ છે. કર્મ પરમાણુઓને સમૂહ એ તેનું અર્થાન્તર છે. આત્મા પોતાના શુભ અથવા અશુભ અધ્યવસાયથી કામણ વર્ગણાને પોતાના તરફ આકર્ષે છે. તે દ્વારા ઔદારિક, વૈક્રિય વગેરે વર્ગણાઓનું આકર્ષણ થતાં ઓદારિક અને વૈક્રિય શરીરધારી બને છે. તે પ્રાપ્ત શરીરથી ફરીથી કામણ પરમાણુઓને સંચય કરે છે. અરસપરસ આ રીતે કર્મ પરમાણુઓ ક્ષીરનીર સંબંધ પ્રમાણે આત્મા સાથે મિશ્રિત થાય છે. આમા પોતે સ્વરૂપત શુદ્ધ હોવા છતાં પ્રાપ્ત કર્મોની વિચિત્ર પ્રકારની સત્તાથી દારિક વગેરે સાત વર્ગણના પરમાણુઓને યોગ્યતા પ્રમાણે પિતાના અધ્યવસાય અનુસાર મેળવે છે અને તેથી ઉપજતાં સુખદુખનો અનુભવ કરવો પડે છે. દેવતા અને નારકી જીવન વૈક્રિય, તેજસ અને કાર્પણ શરીર પિતાના ભાવમાં હોય છે. તિર્યંચને ઔદારિક વૈક્રિય, તેજમ્ અને કામણ અને મનુષ્યને પાંચે શરીરે પોતાના ભાવમાં હોઈ શકે છે. આ શરીર આત્માને એક બંદીખાનું છે એમ કહીએ તેમાં ખોટું નથી. આત્મા પોતે શુદ્ધ જ્ઞાનદર્શનચારિત્રમય હોવા છતાં કર્મોનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91