Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 73
________________ કથાનુગ [ ૭૩ ] સાર્થકતા સમજતા હોય છે, કઈ પરસ્ત્રીલંપટ થઈ લજજાને દૂર મૂકી અકાર્યમાં તત્પર થાય છે આ અને આવા જ પ્રકારોથી ભરપૂર ચિત્રો કથા શરીરમાં આલેખન કરાયેલ હોય છે. આવા વિચિત્ર રંગી ચિત્રોમાંથી હેય ઉપાદેયાદિ વસ્તુને જાણી લેવીએ ધર્મકથાનુયોગના શ્રવણ અને વાચનનું અંતિમ રહસ્ય છે. આ બાબતનું સમર્થન શ્રીમદ્ સિદ્ધર્ષિ ગણીના નીચેના કોથી દ્રષ્ટિગોચર થાય છે. अर्थ कामं च धर्मं च तथा संकीर्णरूपताम् । आश्रित्य वर्तते लोके कथातावच्चतुर्विधा । ના વિસ્ટષ્ટ રિંતુટ્યાત સંવંધ વારિ I तेन दुर्गति वर्तन्याः प्रापणेप्रवणा मता ॥ सा मलीमस कामेषु रागोत्कर्ष विधायिका । विपर्यासकरी तेन हेतुभूतैव दुर्गतेः । सा शुध्ध चित्तहेतुत्वात् पुण्यकर्म विनिर्जरे । विधत्ते तेन विज्ञेया कारणं नाक मेक्षियोः ।। त्रिवर्ग साधनोपाय प्रतिपादन तत्पराः । यानेकरस सारार्था सासंकीर्णकथोच्यते ।। “આ લેકમાં ચાર પ્રકારની કથા અર્થ, કામ, ધર્મ અને સંકીર્ણ નામની છે. અર્થકથા અંતઃકરણને કલુષિત કરવાના કારણને લઈને પાપ ઉપાર્જન કરાવી દુર્ગતિપાતક ગણાયેલી છે. કામકથા રામજનક ઈચ્છાઓ ઉત્પન્ન કરનારી હોવાથી દુર્ગતિના અનંતર કારણભૂત છે. ધર્મકથા અંતઃકરણને નિર્મળ કરનાર હોવાથી સ્વર્ગ અને મોક્ષના કારણભૂત તરીકે ગણાયેલી છે. સંકીર્ણ કથા જુદાજુદા રસવાળી હવાથી ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગની સાધનાના ઉપાયભૂત મનાયેલી છે. ” કથા શરીરના ઉત્તમાંગ ધર્મકથામાં ઉત્તમ પંક્તિમાં ગણાયલા મનુષ્યનાં જીવનચરિત્રો બેધનીય એટલા માટે હોય છે કે તેઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91