________________
૧૧૨
ગીતા અને કુરાન
ત્રી અધ્યાય - અર્જુનના મનમાં ફરીથી વિચાર ઉદુભા કે ઈન્દ્રિયને વશ કરવાથી તથા અહંકારને ત્યજવાથી મુક્તિ મળે છે તે કર્મોમાં શા સારુ ફસાવું? આ શંકાનું નિવારણ ત્રીજા અધ્યાયમાં છે.
કમનો આરંભ ન કરવાથી મનુષ્ય નૈકર્મે અનુભવતો નથી અને કર્મના કેવળ બાહ્ય ત્યાગથી મેલ મેળવતો નથી (૩-૪). યજ્ઞાર્થે કરેલાં કર્મ સિવાયનાં કર્મથી આ લેકમાં બંધન પેદા થાય છે. તેથી હે કૌન્તય! તું રાગરહિત થઈને યજ્ઞાર્થે કર્મ કર (૩–૯). જે મનુષ્ય માત્ર પિતા માટે જ પકાવે છે તે પાપી છે, તે
પાપ” ખાય છે અને જે બીજાઓને ખ્યાલ નથી કરતો તે “ર” છે (૩–૧૨, ૧૩). યજ્ઞનો સાચો અર્થ આ છે. આથી વિરુદ્ધ જઈને ઈન્દ્રિયસુખમાં જે મચ્યો રહે છે તે પાપ આચરે છે અને તેનું જીવન વ્યર્થ છે (૩–૧૬). મનુષ્ય બીજા મારફત પિતાને સ્વાર્થ પૂરે કરાવવાની ઈચ્છા ન રાખવી જોઈએ (૩-૧૮). અસંગ રહીને જ કર્મ કરનારે પુરુષ મોક્ષ પામે છે (૩–૧૯). આવાં કર્મ કરીને જ જનકાદિ જેવા પરમસિદ્ધિને પામી ગયા. આમાં જ સૌનું કલ્યાણ છે (૩-૨૦ ). જેમ અજ્ઞાની લોકે આસક્ત થઈને કામ કરે છે તેમ જ્ઞાનીએ આસક્તિરહિત થઈને લેકકલ્યાણને ઈચ્છીને કામ કરવું જોઈએ (૩૨૫). અધ્યાત્મવૃત્તિ રાખી બધાં કર્મો “ઈશ્વરને અર્પણ કરીને આસક્તિ અને મમત્વ છેડીને રાગરહિત થઈને મનુષ્ય પોતાની ફરજ અદા કરવી (૩–૩૦). પોતપોતાના વિષયોને વિષે ઈન્દ્રિ
ને રાગદેષ રહેલા જ છે. તેમને વશ મનુબે ન થવું ઘટે, કેમ કે તેઓ મનુષ્યના વાટશત્રુ છે (૩–૩૪). પરાયે ધર્મ સુલભ હોય છતાં તેના કરતાં પોતાને ધર્મ વિગુણ હોય તેયે વધારે સારે છે. સ્વધર્મમાં મેત સારું છે. પરધર્મ ભયાનક છે. (૩-૩૫)