Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ છે . ગીતા અને કુરાન અને છેવટના ન્યાયદિન કે જ્યારે પિતાનાં કર્મફળો ભેગવવાં પડશે તેના ઉપર વિશ્વાસ રાખતા નથી”(૨૨૬૩, ૨૬૪ ). “હે શ્રદ્ધાળુઓ ! પોતાની સાચી કમાઈના શુદ્ધ ભાગમાંથી દાન આપે – એવી વસ્તુઓમાંથી કે જે ઈશ્વરે તમને જમીનમાંથી ઉત્પન્ન કરી દીધી છે; તમે ફરી ફરી દાન કરી શકે તે હેતુથી તમે હરામની કમાઈ તરફ દષ્ટિ ન દોડાવે.... (૨-૨૬૭). જે તમે જાહેર રીતે દાન કરી શકે તે સારું છે પણ જો તમે ગુપ્ત રીતે ગરીબોને દાન આપો તે તે વધારે સારું છે; આમ કરવાથી તમારાં બૂરાં કાર્યો એ સરતાં જાય છે; તમે જે કરે છે તેની જાણ ઈશ્વરને છે” (૨–૨૭૧). ઈશ્વર વ્યાજખોરોને બરક્ત નથી આપતો . . .” (૨–૭૬). “હે શ્રદ્ધાળુઓ - ભક્તો ! વ્યાજ ન લે, ધન ઉપર ધન ન વધારે, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે જેથી તમારું ભલું થાય” (૩–૧ર૯). કાઈને જ કરવો ખરાબ છે, ઈશ્વર તમને આ બૂરાઈથી બચા”(૧૧૩-૫). જે વસ્તુ તમને વહાલી છે તેમાંથી તમે ઉદાર હાથે દાન નહીં કરે ત્યાં સુધી તમે પોતાનું શ્રેય સાધી શકતા નથી. જે દાન આપે છે તે ઈશ્વરની જાણમાં છે” (૩–૯૧). “જેઓ અમીરીમાં ને ગરીબીમાં બન્ને દશાઓમાં છૂટે હાથે દાન દે છે, ક્રોધને વશમાં રાખે છે તથા બીજાઓના ગુનાઓને માફ કરી દે છે તેવાઓ માટે સ્વર્ગ સરજાયું છે. ઈશ્વર તેને જ ચાહે છે જે બીજાનું ભલું કરે છે” (૩–૧૩૩).

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246