Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 223
________________ ગીતા અને કુરાન તમને કાંઈ અધિકાર નથી આ, અને ઈશ્વર માટે એવી વાત કરે કે જેનું તમને જ્ઞાન નથી તેની પણ મનાઈ છે” (૭–૩૩). “ખરેખર ઈશ્વરની દયાના પાત્ર એ લકે છે કે જેઓ બીજાની સાથે ભલાઈ કરે છે”(૭-૫૬). “જ્યાં સુધી કોઈ કેમ પિતાની દશાને પિતે બદલાવી ન દે ત્યાં સુધી ઈશ્વર પિતાની આપેલ ચીજો તે કેમ પાસેથી લઈ નથી લેતું કારણકે તે સર્વ સાંભળે તથા જાણે છે”(૮-૩૫). “જ્યાં સુધી કેઈ કેમ પિતાની દશા નથી બદલતી ત્યાં સુધી ઈશ્વર તેની હાલત બદલત નથી” (૧૩-૧૧). “અને જયારે ઈશ્વર કોઈ સ્થળના લોકોની વચ્ચે તેમનાં પાપોથી સાવધાન કરવા માટે કોઈ પયગંબર મોકલે છે ત્યારે એશઆરામીઓ છડેચોક કહે છે કે અમે તમારી વાત નથી માનતા. તેઓ કહે છે કે અમારી પાસે ઘણું ધન છે તથા સંતતિ છે; અમને કઈ દંડશે નહીં. તેમને સુણું કે મારે પ્રભુ જેને આપવા ચાહે તેને ઘણું ઘણું આપે છે કે જેની પાસેથી લઈ લેવા ચાહે તો તેની પાસેથી લઈ પણ લે છે; આ વાત ઘણુને સમજાતી નથી. તમારી સંપત્તિ કે સંતતિ તમને પ્રભુની સમીપ નહી લઈ જાય. ઈશ્વરની નિકટ તો તે જ પહોંચે છે કે જે વાત માને છે ને ભલાં કાર્યો કરે છે” (૩૪-૩૪ થી ૩૭). જે કઈ પટેલેકમાં સુખ ઇચ્છે છે તેને તે ત્યાં આપે છે અને જેઓ આ દુનિયામાં સુખ ઈચ્છે છે તેમને અહીં જ આપી દે છે. આ લોકોને પરલેકમાં સુખ પ્રાપ્ત નહીં થાય” (૪૨–૨૦). “પરંતુ હે મહંમદ ! જે લે કે તમારું ન માને તે મેં (ઈશ્વરે) તમને તેના ચોકીદાર બનાવીને નથી મોકલ્યા. તમારું કામ તો સંદેશ સંભળાવવા પૂરતું જ છે” (૪૨-૪૮).

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246