SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન તમને કાંઈ અધિકાર નથી આ, અને ઈશ્વર માટે એવી વાત કરે કે જેનું તમને જ્ઞાન નથી તેની પણ મનાઈ છે” (૭–૩૩). “ખરેખર ઈશ્વરની દયાના પાત્ર એ લકે છે કે જેઓ બીજાની સાથે ભલાઈ કરે છે”(૭-૫૬). “જ્યાં સુધી કોઈ કેમ પિતાની દશાને પિતે બદલાવી ન દે ત્યાં સુધી ઈશ્વર પિતાની આપેલ ચીજો તે કેમ પાસેથી લઈ નથી લેતું કારણકે તે સર્વ સાંભળે તથા જાણે છે”(૮-૩૫). “જ્યાં સુધી કેઈ કેમ પિતાની દશા નથી બદલતી ત્યાં સુધી ઈશ્વર તેની હાલત બદલત નથી” (૧૩-૧૧). “અને જયારે ઈશ્વર કોઈ સ્થળના લોકોની વચ્ચે તેમનાં પાપોથી સાવધાન કરવા માટે કોઈ પયગંબર મોકલે છે ત્યારે એશઆરામીઓ છડેચોક કહે છે કે અમે તમારી વાત નથી માનતા. તેઓ કહે છે કે અમારી પાસે ઘણું ધન છે તથા સંતતિ છે; અમને કઈ દંડશે નહીં. તેમને સુણું કે મારે પ્રભુ જેને આપવા ચાહે તેને ઘણું ઘણું આપે છે કે જેની પાસેથી લઈ લેવા ચાહે તો તેની પાસેથી લઈ પણ લે છે; આ વાત ઘણુને સમજાતી નથી. તમારી સંપત્તિ કે સંતતિ તમને પ્રભુની સમીપ નહી લઈ જાય. ઈશ્વરની નિકટ તો તે જ પહોંચે છે કે જે વાત માને છે ને ભલાં કાર્યો કરે છે” (૩૪-૩૪ થી ૩૭). જે કઈ પટેલેકમાં સુખ ઇચ્છે છે તેને તે ત્યાં આપે છે અને જેઓ આ દુનિયામાં સુખ ઈચ્છે છે તેમને અહીં જ આપી દે છે. આ લોકોને પરલેકમાં સુખ પ્રાપ્ત નહીં થાય” (૪૨–૨૦). “પરંતુ હે મહંમદ ! જે લે કે તમારું ન માને તે મેં (ઈશ્વરે) તમને તેના ચોકીદાર બનાવીને નથી મોકલ્યા. તમારું કામ તો સંદેશ સંભળાવવા પૂરતું જ છે” (૪૨-૪૮).
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy