________________
કુરાન અને તેનો ઉપદેશ
૧૯૭
“ અને ગરીબીના ડરથી પેાતાનાં સંતાનેને સંહાર ન કરો, ઈશ્વર એમને તથા તમને ખાવાનું આપે છે, પેાતાની સંતતિ મારી નાખવી એ મહાપાપ છે.
“ વ્યભિચારથી દૂર રહે, ખરેખર તે માર્ગ ગંદો તથા ખેાટા છે.
“કાઈ અનાથના ધનની ઇચ્છા માત્ર ને રાખા, સિવાય કે તે જો સગીર હાય અને તેના માલનું તમે રક્ષણ કરવા ઇચ્છતા હેા; આપેલ વાયદા પાળા, તમને આખરે પૂછવામાં આવશે કે તમે વચન પાળ્યું હતું કે નહીં.
<<
જ્યારે કાઈ ને કાઈ પણ ચીજ માપીને આપે તે બરાબર માપો, તાળીને આપે તે ત્રાજવું ને કાટલાં સાચાં રાખજો; આ જ સદાચાર છે અને છેવટે તેથી જ તમારું ભલું થવાનું છે.
“ જે વાતનું તમને પૂરું જ્ઞાન નથી તેને પકડી ન રાખેા ( એટલે કે જેતે વિષે તમને પૂરી માહિતી નથી તે અંગે કાઈના ઉપર આક્ષેપ ન કરે ). ખરેખર તમારાં કાન, આંખ અને હ્રદય સૌને પૂછવામાં આવશે કે તેમણે કેવાં કેવાં અને કયાં કયાં ભલાં ભૂરાં કમેર્યાં કર્યાં હતાં.
“આ સંસારમાં કાઈ થી અકડીને ન ચાલેા, કારણ કે તમે પૃથ્વી વીંધી શકતા નથી કે નથી તમે પર્વત જેટલા ઊંચા. આમ કરવું તે પાપ છે. આ જ સાચું જ્ઞાન ઈશ્વરે તમને તમારા શ્રેય માટે આપ્યું છે” ( ૧૭–૩૧, ૩૨,૩૪ થી ૩૯ ).
tr
* મનુષ્યના ખૂનને માટે અથવા
આ દુનિયામાં ઝઘડાએ પેદા કરવાની સજારૂપે કાઈની કતલ કરવામાં આવે તે સિવાય જો કાઈ કાઈને જીવ લેશે તે તે આખી માનવજાતને હત્યારા