Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 9
________________ આ રીતે ૮૦ વર્ષના પોતાના જીવનનો લગભગ સમગ્ર સમય શ્રુતજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત કરનારા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા વિ.સં. ૧૭૩૪ના મહાસુદ-૫ના દિવસે ડભોઈ મુકામે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ આરંભેલી શ્રુતસાધના આ રીતે વિરામ પામી. પૂજ્યશ્રીની અનન્યસાધારણ જ્ઞાનોપાસનાએ દરેક શ્રુતપ્રેમી ભવ્યાત્માઓના હૃદયમાં પૂજયશ્રીને પ્રતિષ્ઠિત કર્યા છે. શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના કોઈ પણ ઉપાસક; પૂજયશ્રીને ક્યારે પણ ભૂલી શકશે નહિ. અંતે પૂજ્યપાદશ્રીના અગાધજ્ઞાનપ્રવાહમાં નિમગ્ન બની આપણા આત્માને પરમાત્મા બનાવવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક અભ્યર્થના છે... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત. વિ.સં. ૨૦૫૬, કા.વ. ૫, શનિવાર દાન બત્રીશીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 286