________________
આ રીતે ૮૦ વર્ષના પોતાના જીવનનો લગભગ સમગ્ર સમય શ્રુતજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત કરનારા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા વિ.સં. ૧૭૩૪ના મહાસુદ-૫ના દિવસે ડભોઈ મુકામે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ આરંભેલી શ્રુતસાધના આ રીતે વિરામ પામી. પૂજ્યશ્રીની અનન્યસાધારણ જ્ઞાનોપાસનાએ દરેક શ્રુતપ્રેમી ભવ્યાત્માઓના હૃદયમાં પૂજયશ્રીને પ્રતિષ્ઠિત કર્યા છે. શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના કોઈ પણ ઉપાસક; પૂજયશ્રીને ક્યારે પણ ભૂલી શકશે નહિ. અંતે પૂજ્યપાદશ્રીના અગાધજ્ઞાનપ્રવાહમાં નિમગ્ન બની આપણા આત્માને પરમાત્મા બનાવવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક અભ્યર્થના છે...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત. વિ.સં. ૨૦૫૬, કા.વ. ૫, શનિવાર
દાન બત્રીશી