Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 422
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૧-૧૨ ૭૦૭ ટબો - જે પ્રાણી જ્ઞાનરહિત છઈ-સ્વહિત દશા ચિંતન પરિહર્યો છે જેણે, અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં તે રાતા છઈ, એકાંતે સ્વાભિગૃહીત હઠવાદમાં રક્તપરિણામી છઈ, બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકને રીઝવઈ, એહવા જે યતિસાધુ, વેશધારીયા, ન હોઈ નિજ મતને વિષે = તે જૈનમતનઈ વિષઈ, માતા ન હોઈ, પુષ્ટ ન હોઈ, II ૧૫-૧૧ || જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી, સ્યા પરમાર્ગે ? અજ્ઞાનરૂપ પડલઈ કરીને, અને વલી-પરના ગુહ્ય પારકા અવર્ણવાદ મુખથી બોલઈ જઈ ગુણનિધિ ગુણનિધાન, એહવા જે ગુરુ, તેહથી બાહિર, રહીનઈ, વિરૂઓ તે કહેવા યોગ્ય નહિ, એહવું નિજમુખથી બોલઈ જઈ, અસમંજસપણું ભાખે છે. તે પ્રાણીનઈ. I ૧૫-૧૨ | વિવેચન - જે આત્માઓ આરાધક નથી, પણ સાધુવેશ પામીને (અથવા શ્રેષ્ઠ શ્રાવકકુળ પામીને) પણ વિરાધક છે. તે આત્મા કેવા હોય છે ? તે સમજાવે છે. અને અંતે સત્તરમી ગાથામાં કહેશે કે તેદ ચિત્તર પરિક્ર = આવા વિરાધક આત્માઓનો ત્યાગ કરવો. તેઓના પરિચયથી દૂર રહેવું. १ जे प्राणी ज्ञान रहित छइ स्वहितदशाचिंतन परिहों छे जेणे, अज्ञानरूप जे हठवाद, तेहमां ते राता छई, एकांते स्वाभिगृहीत हठवादमां रक्तपरिणामी छइं, बाह्य कपटक्रिया करीने अनेक लोकने रीझवइ, एहवा जे यति-साधु, वेशधारीया, न होइ निजमतने विषे = ते जैनमतनइं विषई माता न होइ, पुष्ट न होइ. ॥१५-११ ॥ જે આત્માઓ શાસ્ત્રીય જ્ઞાનદશાથી રહિત છે. શાસ્ત્રાભ્યાસ કરતા-કરાવતા નથી, પઠન-પાઠનથી દૂર જ રહેનારા છે. અને તેના જ કારણે સ્વહિતદશાનું એટલે આત્માના કલ્યાણને કરનારી દશાનું ચિંતન-મનન, વૈરાગ્યમય પરિણતિ પરિહરી છે (ત્યજી દીધી છે) જેણે, એવા જે આત્માઓ છે. તથા અજ્ઞાનદશા એટલે વિપરીત માન્યતા રૂપ અજ્ઞાનતા, તે રૂપ જે હઠવાદ એટલે કદાગ્રહ = હું કહું તે જ સાચું છે. આવી એકાન્ત આગ્રહ દશાની પક્કડ રાખીને ફરે છે. કોઈથી દબાતા નથી અને જગતને દબાવતા અને દબડાવતા ફરે છે. હઠાગ્રહમાં અત્યંત રતિ = રક્ત છે. એટલે એકાન્ત પોતે સ્વીકારેલા હઠવાદમાં જ રંગાયેલા પરિણામવાળા છે. માયા કપટ કરવા પૂર્વક બીજા લોકો દેખે તેવી રીતે બાહ્ય ધર્મક્રિયાઓ કરીને અનેક લોકોને જે રીઝવે છે. ખુશ કરે છે. પોતાના તરફ આકર્ષે છે. બાહ્યભાવમાં જ જે રચ્યા પચ્યા છે. બાહ્ય આડંબરોનો જ જેને ઘણો પ્રેમ છે. આત્મદશાનું ભાન તો જેનાથી ઘણું દૂર છે.

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475