________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી દિનિકી શિતી કરુનીરુ છુણિી @ી છે.
અહો ! મારા આત્માનું શું થશે? આ જડ શરીરથી હું ભિન્ન છું, આ જડ શરીર તો અહીં રહેશે અને હું તો એકલો જઈશ; શરીર પણ મારી સાથે રહેવાનું નથી તો પછી સ્ત્રી-કુટુંબ-લક્ષ્મી વગેરેની શું વાત? વિકાર પણ મારું સ્વરૂપ નથી, મારો આત્મા કાયમી શુદ્ધ ચિદાનંદ છે, સિદ્ધ ભગવાન જેટલું પરિપૂર્ણ સામર્થ્ય મારામાં ભર્યું છે તેને હું ઓળખું-એમ ચોવીસે કલાક અંતરમાં રટણ ચાલે છે તેવા ધર્મની ચિંતાવાળા ભવ્યાત્માઓને દેવો પણ સેવે છે. આત્મસ્વભાવના લક્ષવાળું જીવન જ આદરણીય છે, એ સિવાય બીજા જીવનને આદરણીય ગણવામાં આવ્યું નથી. માટે ભવ્યાત્માઓએ વારંવાર શુદ્ધાત્માની ચિંતામાં ને તેના રટણમાં રહ્યા કરવું-એવો શ્રી આચાર્યદેવનો ઉપદેશ છે. શરીર-પૈસા-કુટુંબ કે દેશ વગેરેનું જે થવું હોય તે થાય, તેને સંયોગરૂપે રહેવું હોય તો રહે ને જવું હોય તો જાય, મારા આત્માથી તે બધા ભિન્ન છે, હું નિત્ય રહેનાર ચૈતન્યબિંબ છું, તેને ઓળખીને તેમાં જ કરું-એ જ મારું કર્તવ્ય છે. આવી જેને રુચિ અને ઝંખના પ્રગટી છે તેનું જીવન ધન્ય છે. કરવાયોગ્ય હોય તો આ જ છે.
-અનંત-ઉપકારમૂર્તિ પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com