Book Title: Dharm Sangraha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 214
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ૧૯૩ અને આ કૃતધર્મ પ્રતિદર્શનમાં અન્યથા અન્યથારૂપે પ્રવૃત્ત છે=દરેક દર્શનમાં ભિન્ન-ભિન્નરૂપે પ્રવૃત્ત છે. એથી આ કૃતધર્મ, હજી પણ તેના સમ્યફભાવને વિભાગ કરવા માટે સમર્થ નથી કયું શ્રુત સાચું છે અને કયું શ્રુત સાચું નથી ? તેના સમ્યફભાવને વિભાગ કરવા માટે સમર્થ નથી. એથી કહે છે – “બહુપણું હોવાથી મૃતધર્મનું બહુપણું હોવાથી, પરીક્ષામાં અવતાર છે.” (સૂ. ૯૧) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – શ્રતધર્મોના ‘શ્રતધર્મ એ પ્રમાણે શબ્દનું સમાનપણું હોવાથી તેનું મૃતધર્મનું, બહુપણું હોવાને કારણે વિપ્રલબ્ધબુદ્ધિ થવાથીeઠગાવાની બુદ્ધિ થવાથી, શ્રતધર્મસંબંધી ત્રિકોટિપરિશુદ્ધરૂપ પરીક્ષામાં અવતાર કરવો જોઈએ=શ્રોતાનો અવતાર કરવો જોઈએ. : અન્યત્ર પણ અન્ય ગ્રંથમાં પણ કહેવાયું છે – “વિશ્વમાં પણ શબ્દમાત્રથી તેને ધર્મ કહે છે=દરેક દર્શનોનાં ઉપદેશવચનો શબ્દરૂપ હોવાથી તેને ધર્મ કહે છે, લોકો " વિચાર કરતા નથી, શબ્દના સામ્યમાં પણ=દરેક દર્શનના ઉપદેશરૂપ વચનોના શબ્દરૂપ સામ્યમાં પણ, વિચિત્ર ભેદો વડે તે=ધર્મ, ભેદને પામે છે. જેમ અર્ચનીય એવું ક્ષીર=વિભાગ કરવા યોગ્ય એવું દૂધ વિવિધ ભેદોથી ભેદને પામે છે.” “સુવર્ણની જેમ વંચનથી ભીતચિત્તવાળા=ઠગાવાના ભયયુક્ત ચિત્તવાળા, વિચારક દક્ષપુરુષો સકલલક્ષ્મીને કરવા માટે સમર્થ સુદુર્લભ, વિશ્વના જનીન એવા=વિશ્વના હિતના સંબંધવાળા એવા, આ=કૃતધર્મ, પરીક્ષા કરીને ગ્રહણ કરે છે.” પરીક્ષાના ઉપાયને જ કહે છે - “કષાદિની પ્રરૂપણા કરવી.” (સૂ. ૯૨). તેનો અર્થ સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે સુવર્ણ માત્રના સામ્યથી તેવા પ્રકારના મુગ્ધલોકોમાં અવિચારથી જ શુદ્ધાદ્ધરૂપ સુવર્ણની પ્રવૃત્તિ થયે છd=શુદ્ધ અને અશુદ્ધના વિભાગ વગર સુવર્ણની પ્રવૃત્તિ થયે છતે, કષ-છેદ-તાપ પરીક્ષણ માટે વિચક્ષણ પુરુષો વડે સ્વીકારાય છે. તે પ્રમાણે અહીં પણ પરીક્ષણીય એવા શ્રતધર્મમાં કષાદિની પ્રરૂપણા કરવી જોઈએ. કષાદિને જ કહે છે – “વિધિ અને પ્રતિષેધ કપ છે.” (સૂ. ૯૩) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – અવિરુદ્ધ કર્તવ્ય અર્થનું ઉપદેશક વાક્ય વિધિ છે. જે પ્રમાણે સ્વર્ગના અથએ અને કેવલજ્ઞાનના અર્થીએ તપધ્યાનાદિ કરવું જોઈએ. સમિતિ-ગુપ્તિની શુદ્ધ ક્રિયા કરવી જોઈએ ઈત્યાદિ વિધિ છે. વળી પ્રતિષેધ સર્વજીવોની હિંસા કરવી જોઈએ નહિ. જૂઠું બોલવું જોઈએ નહિ. ઈત્યાદિ છે. ત્યારપછી=વિધિ-પ્રતિષેધનો અર્થ કર્યા પછી, વિધિ-પ્રતિષેધનો સમાસ સ્પષ્ટ કરતાં કહે છે – વિધિ અને પ્રતિષેધ એ વિધિ-પ્રતિષેધ છે. વિધિ-પ્રતિષેધ શું છે ? એથી કહે છે –

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276